Latest

Sunday, June 7, 2020

કોરોનાના લક્ષણો નથી, છતાં એક રુમમાંથી બીજા રૂમમાં જતા થાક લાગે છે? હળવામાં ન લેશો આ સંકેતો

શરીરની નબળાઈને ન કરશો નજરઅંદાજ

અમદાવાદઃ શરીરમાં અત્યંત નબળાઈ લાગવી અથવા થાક લાગવાની સ્થિતિથી તો તમે બધા વાકેફ હશો. આવી સ્થિતિમાં તમને બેડ સુધી ચાલીને જવામાં પણ થાક લાગતો હોય તો કોરોનાના સમયમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે આવી નબળાઈ એક અલાર્મ સમાન છે. આ સંકેતો શરીરમાં ઝડપથી ઓક્સિઝન લેવલ ઘટવાના પણ હોઈ શકે છે. અંદાજે અઢી મહિના સુધી હજારો કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરનારા ચેપી રોગ નિષ્ણાંતો અને ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટે કેટલાક સંકેતો જણાવ્યા છે, જે સામાન્ય લક્ષણો નથી અને કોરોનાથી વધુ ગંભીર રીતે બીમાર થવાથી બચવા માટે તેને સીરિયસલી લેવા જોઈએ.

ઓક્સીજન લેવલ ઘટવાના છે સંકેત

તેમાંથી સૌથી કોમન છે અત્યંત નબળાઈ અને તેની સાથે તાવ આવવો. ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. જિગર મહેતા કહે છે, ઘણા દર્દીઓએ તાવ ઓછો થયા બાદ નબળાઈની ફરિયાદ કરી હતી. જોકે તાવ ન હોવાછી તેઓ રિલેક્સ ફીલ કરે છે અને નબળાઈ પ્રત્યે વધુ ધ્યાન નથી આપતા. જે ઓક્સિજન લેવલ ઘટવાના સંકેત છે. આવા દર્દીઓને બાદમાં શ્વાસ લેવાની સમસ્યા સાથે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દોડવું પડે છે.

થોડું ચાલવાથી શ્વાસ ચડી જાય છે?

સીનિયર ચેપી રોગ નિષ્ણાંત ડો. અતુલ પટેલ કહે છે, આવી સ્થિતિમાં બાથરૂમ સુધી જઈને ત્યાંથી પાછા આવવું જોઈએ. જો દર્દીને શ્વાસ લેવામાં થોડી પણ સમસ્યા જેવું લાગે તો તરત જ તેણે હોસ્પિટલ જવું જોઈએ કારણ કે આ ઓક્સિજન લેવલ ઘટવાના સંકેતો છે. તેઓ એમ પણ સલાહ આપે છે કે, ‘કોરોનાની મહામારીના સમયમાં ઘરમાં પલ્સ-ઓક્સીમીટર પણ વસાવવું જોઈએ. જો દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો ન હોય અને તેની ઘરે જ સારવાર થઈ રહી હોય તો ચેક કરવું જરૂરી છે કે તેના શરીરનું ઓક્સીજન લેવલ ઘટે નહીં. આવી સ્થિતિમાં દર્દીના શરીરમાંથી ઓક્સીજન લેવલ ન ઘટે ત્યાં સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. જો પલ્સ-ઓક્સીમીટરમાં ઓક્સીજન લેવલ 94 ટકાથી નીચે આવે તે થોડું પણ મોડું કર્યા વિના લક્ષણો ન હોય તો પણ દર્દીને હોસ્પિટલ લઈ જવો જોઈએ.’

સંકેતો જાણવાથી ઘટાડી શકાય મૃત્યુદર

પલ્મોનોલોજિસ્ટ્સ અને ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. તુષાર પટેલ કહે છે, ‘હેપ્પી-હાઈપોક્સીયા’ (શરીરમાંથી અચાનક ઓક્સીજન લેવલ ઘટવું)ની સ્થિતિમાં 50 ટકા દર્દીઓને ગંભીર સ્થિતિમાં ઈમરજન્સી રૂમમાં લઈ જવા પડે છે. એવામાં ઓક્સીજન લેવલ ઘટી રહ્યું છે તેની જાણકારી હોય તો કોરોના સામે લડવામાં દર્દીઓને ઓક્સીજન સપોર્ટ પર રાખી શકાય અને મોતના આંકડાને ઘટાડી શકાય. લોકોએ આ લક્ષણો પ્રત્યે ખૂબ જાગૃત અને સચેત રહેવું જોઈએ.



from Page Array – I Am Gujarat https://ift.tt/30bzXwC

No comments:

Post a Comment

Pages