Latest

Sunday, June 7, 2020

હોસ્પિટલાઇઝેશનના નિયમ બદલો નહીંતર કન્ટેમ્પ્ટનો કેસ, અમદાવાદ મેડિકલ ઓસો. અને સરકાર આમને-સામને?

અમદાવાદઃ કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન(AMA) અને ગુજરાત સરકાર એકબીજાની સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. AMAએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોવિડ-19 ટેસ્ટિંગને લઈને આપેલા 2 જૂનના આદેશ અંગે સ્પષ્ટતા કરવા જણાવતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ કે જે મુજબ જો વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેના પર ફેરવિચારણા કરવામાં આવે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મહત્વનું છે કે 2 જૂનના દિવસે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય વિભાગના એડિ. ડિરેક્ટર ડો. પ્રકાશ વાઘેલાએ જાહેર કરેલા નવા નોટિફિકેશન મુજબ જો કોઈ પણ દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જરુરી છે. જેથી જો તેઓ પોઝિટિવ આવે તો સંક્રમણના ફેલાવાને પહેલાથી જ રોકી શકાય. તેમજ આ ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ જ હોસ્પિટલ દર્દીને ડિસ્ચાર્જ કરી શકે. તેમજ જો પરિણામ પોઝિટિવ આવે તો દર્દીની સારવાર કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ તાત્કાલિક શરું કરી શકાય.

આ નવો નિયમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશો અને 6 જેટલી કેટેગરીમાં પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાંથી આપવામાં આવેલ છૂટ બાદ લેવામાં આવ્યો છે. AMAના પ્રમુખ ડો. મોના દેસાઈએ પોતાના પત્રમાં આરોગ્ય સચિવ જયંતિ રવિને લખ્યું છે કે ઓથોરિટી દ્વારા આ નિયમમાં કોર્ટના આદેશ અનુસાર ફેરબદલ કરવામાં આવે તેમજ તેમણે આ બાબતે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જે દરમિયાન આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે સત્વરે ધ્યાન આપશે.

AMAના પત્રમાં કહેવાયું છે કે હાઈકોર્ટ દ્વારા પોતાના આદેશમાં કયાંય પણ તેમ નથી કહેવામાં આવ્યું કે જેમને પણ કોરોના ટેસ્ટ કરાવવો હોય તેમણે પરિણામ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવું જરુરી છે. જેથી સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશમાં રહેલી આ શરતને જો પરત નથી ખેચવામાં આવતી તો તે હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ છે અને આવી સ્થિતિમાં અમારી પાસે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અપીલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો.

ડો. દેસાઈ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમને અનેક ડોક્ટર્સે ફરિયાદ કરી છે કે દર્દીના સ્ટેટસને જાણ્યા વગર જ તેમને હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખવાથી તેમનામાં પણ સંક્રમણનો ચાન્સ વધે છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડો. ભારત ગઢવીએ પણ કહ્યું કે કે અમારા એસોસિએશનને પણ સરકારને આ બાબતે પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2XGjheM

No comments:

Post a Comment

Pages