Latest

Tuesday, June 2, 2020

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આવી થઈ ગઈ છે એક્ટ્રેસ મોહિના કુમારીની સ્થિતિ

મોહિનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘કીર્તિ’નો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ મોહિના કુમારી સહિત તેના પરિવારના કેટલાક સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરમાં આટલા સભ્યોને કોવિડ 19નો ચેપ લાગતા પોતાની હાલ કેવી સ્થિતિ છે તે વિશે મોહિનાએ શેર કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, રિપોર્ટ આવ્યા બાદ તે શાંતિથી ઊંઘી શકી નથી, ખાસ કરીને તેને ઘરના વડીલોની ચિંતા સતાવી રહી છે.

‘જલ્દી ઠીક થઈ જઈશું તેવી આશા’

મોહિનાએ કહ્યું કે, તમામ જલ્દી સાજા થઈ જશે તેવી તે આશા રાખી રહી છે. તેણે તેમ પણ કહ્યું કે, તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેને દુનિયાની અન્ય તકલીફો સાથે સરખાવી શકાય નહીં. આ પોસ્ટમાં મોહિનાએ પોતાના શુભ-ચિંતકો અને તેના પરિવાર પર સતત પ્રેમ વરસાવનાર ફેન્સનો આભાર માન્યો છે. તેણે જે પોસ્ટ શેર કરી છે, તેમાં પણ સોશિયલ મીડિયા યૂઝર્સ અને ફેન્સ તેના અને તેના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક્ટ્રેસ નિધિ ઉત્તમે લખ્યું છે કે, ‘મોહિના અમે તારા અને તારા પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. મને ખબર છે કે તે સ્ટ્રોન્ગ છે અને આ પરિસ્થિતિની સામે પણ તું લડીને બતાવીશ’.

પરિવારના 7 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ

એક્ટ્રેસ અને તેના પરિવારનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાના ન્યૂઝ પહેલી જૂને વહેતા થયા હતા. તેણે અમારા સહયોગી ETimes TV સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં આ સમાચારની પુષ્ટિ કરી હતી.

કુલ 22 લોકો થયા સંક્રમિત

મોહિનાએ કહ્યું હતું કે, ‘આ સમાચાર સાચા છે. અમારા પરિવારના સાત સભ્યોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ અમારી સ્થિતિ સારી છે. હાલ અમે હોસ્પિટલમાં છીએ. મારા જેઠનો રિપોર્ટ હાલમાં નેગેટિવ આવ્યો છે. અન્ય બીજા લોકોનો પણ સંક્રમિત થયા છે, પરંતુ તેઓ અમારી સંસ્થાના છે’.

‘સૌથી પહેલા મારા સાસુને થયો કોરોના’

મોહિનાના સાસુ-સસરા

તેણે વધુમાં કહ્યું હતું કે, ‘અમારામાં ખૂબ ઓછા લક્ષણો દેખાતા હતા, અમને થયું કે વાતાવરણ બદલાયું છે તેના કારણે આમ થયું હશે. કોરોના વાયરસ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. પહેલા મારી સાસુને થયો પરંતુ તેમનામાં સામાન્ય લક્ષણો હોવાથી અમને જાણ થઈ નહીં. હોસ્પિટલમાં અમારો બીજો દિવસ છે અને અમે જલ્દી સાજા થઈશું. અમે હાલ ક્વોરન્ટિનમાં છે’.

ઓક્ટોબરમાં કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે, રિવાની રાજકુમારી મોહિનાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સતપાલ સિંહ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/36RRUkW

No comments:

Post a Comment

Pages