Latest

Thursday, June 18, 2020

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

હાઈકોર્ટનો પોલીસને અઘરો સવાલ

સાગરકુમાર મુતા, હૈદરાબાદ: દેશભરમાં લોકડાઉનના ભંગ બદલ પોલીસ દ્વારા લાખો કેસ કરવામાં આવ્યા છે. જોકે, હૈદરાબાદ પોલીસને તેલંગાણા હાઈકોર્ટે આ મામલે એક અઘરો સવાલ પૂછ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે લોકડાઉનના ભંગના ગુનામાં પકડાયેલા લોકોમાં મોટાભાગના મુસ્લિમ કેમ છે? શું તેનો મતલબ એવો છે કે બીજા કોઈ સમુદાયના લોકોએ લોકડાઉનનો ભંગ કર્યો જ નથી?

કોર્ટે અમેરિકાનું ઉદાહરણ આપ્યું

ચીફ જસ્ટિસ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ બી વિજયસેન રેડ્ડીએ પોલીસની લોકડાઉન દરમિયાનની કાર્યવાહી અંગે કરાયેલી એક PILમાં આ મુદ્દો ઉઠાવી તેના પર સવાલ કર્યો હતો. બંને જજોએ એમ પણ કહ્યું હતું કે જુઓ, અમેરિકામાં શું થઈ રહ્યું છે કે જ્યાં એક અશ્વેતની પોલીસના હાથે હત્યા થઈ અને હાલ આખો દેશ તેના કારણે સળગી રહ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પોલીસે લઘુમતી પર વધારે પડતી જ સખ્તાઈ બતાવી છે.

મુસ્લિમો પર વધારે પડતી સખ્તાઈ થયાનો આક્ષેપ

બેન્ચે તેલંગાણાના ડીજીપી એમ મહેન્દર રેડ્ડી અને હૈદરાબાદ પોલીસ કમિશનરને આ અંગે જવાબદાર પોલીસકર્મીઓ સામે સખ્ત પગલાં લેવા પણ આદેશ કર્યો છે. આ PIL સામાજીક કાર્યકર્તા શીલા સારા મેથ્યુસ દ્વારા ફાઈલ કરવામાં આવી હતી. જેમાં કેટલાક કિસ્સા ટાંકીને પોલીસ પર મુસ્લિમો પ્રત્યે દુર્વ્યવહારનો સીધો આક્ષેપ કરાયો હતો. પિટિશનમાં પોલીસની વધારે પડતી સખ્તાઈને કારણે જીવનજરુરી ચીજવસ્તુ ખરીદવા નીકળેલા મુસ્લિમોને પણ માર મારવામાં આવતા તેમને ગંભીર ઈજા થઈ હોવાનું ટાંકવામાં આવ્યું હતું.

પોલીસે માર મારતા જુનૈદને 35 ટાંકા આવ્યા

જુનૈદ નામના એક મુસ્લિમ યુવકના કિસ્સાને ટાંકતા અરજકર્તાના વકીલ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે પોલીસે માર મારતા આ યુવકને સર્જરી કરાવવી પડી હતી, અને તેના ચહેરા પર 35 ટાંકા આવ્યા હતા. જુનૈદ પરપ્રાંતિય મજૂરોને જમવાનું પહોંચાડવાનું કામ કરતો હતો, તે વખતે તેને ગોલકોંડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા અટકાવાયો હતો અને ત્યારબાદ તેને ફટકારાયો હતો.

લાઠીચાર્જમાં નાસભાગથી પણ થઈ ઈજા

અરજકર્તા દ્વારા બીજા પણ બે-ત્રણ મહત્વના કિસ્સા ટાંકવામાં આવ્યા હતા કે જેમાં પોલીસે અચાનક લાઠીચાર્જ શરુ કરતાં ટોળાંની નાસભાગમાં એક મુસ્લિમ યુવક બિલ્ડિંગ પરથી પડતાં તેના બંને પગ ભાંગી ગયા હતા. અન્ય એક કિસ્સામાં દીકરી માટે દૂધ લેવા ગયેલા મુસ્લિમ યુવક પાછળ પોલીસ પડતાં તે ભાગ્યો હતો અને ગટરમાં પડી જવાના કારણે તેનો પગ ભાંગી ગયો હતો.

પોલીસનો બચાવ કોર્ટે ફગાવ્યો

કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા પોલીસને સવાલ કર્યો હતો કે આ બધા કિસ્સામાં ભોગ બનનારા મુસ્લિમ જ કેમ છે? એક મુસ્લિમ વિસ્તારમાં પોલીસે વાહનો પર લાઠી ચલાવી તેમની તોડફોડ કરી હતી, જે અંગે કોર્ટે સવાલ કર્યો હતો કે શું પોલીસ વાહનોને ડંડા મારી તેમને કોરોના છે કે નહીં તે ચેક કરી રહી હતી? પોલીસે કોર્ટમાં પોતાના બચાવમાં જણાવ્યું હતું કે જે લોકોના નામ પીડિત તરીકે દર્શાવાયા છે તેમના નિવેદનનો ક્યાંય ઉલ્લેખ નથી. જોકે, કોર્ટે તેને ફગાવી દેતા જણાવ્યું હતું કે આનાથી બેજવાબદાર નિવેદન બીજું કોઈ હોઈ જ ના શકે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fAKZjw

No comments:

Post a Comment

Pages