અમદાવાદ: કોરોના મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં હાઈકોર્ટે કરેલા સવાલોના રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરીને સિવિલ અને ખાનગી હોસ્પિટલ તેમજ કોરોનાના ટેસ્ટ ઉપરાંત અન્ય મુદ્દે જવાબો રજૂ કર્યા હતા. રાજ્ય સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી કોવિડ -19ના ગંભીર કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાઈનું પ્રમાણ પણ ઘટ્યું છે.
29 મેના રોજ સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, કોઈ પણ કોવિડ દર્દીને સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ નકારવો જોઈએ. તેના જવાબમાં સરકારના વીલ મનિષા શાહ દ્વારા સહી કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કામના દબાણનો સામનો કરવાના દૃષ્ટિકોણથી દર્દીને પ્રવેશ આપવાનો માટે ક્યારેય ઇનકાર કર્યો નથી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત મુજબના ગંભીર કિસ્સાઓમાં ઘટાડો થવાની ઘટના બનવાની નોંધ લેવાની જરૂર છે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટના ફક્ત એક કે બે હોસ્પિટલો સામાન્ય નથી, પરંતુ તે સરકાર, મ્યુનિસિપલ તેમજ ખાનગી હોસ્પિટલોના સંદર્ભમાં સામાન્ય છે, જ્યાં કબજે કરાયેલા બેડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કોવિડ ડેઝિગ્નેટેડ 59 ખાનગી હોસ્પિટલોની વિગતો આપતા સરકારે જણાવ્યું કે, અમદાવાદની 59 ખાનગી હોસ્પિટલ સાથે 50 ટકા બેડ્સ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત કરવાના કરાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 2077 કોવિડ બેડ્સ આરક્ષિત છે અને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે રિફર કરેલા 3292 દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ ચૂક્યા છે. બીજી તરફ 2077 બેડ્સ સામે હાલ 911 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે માંગ કરતા પૂરવઠો વધારે છે. સરકારે કહ્યું કે, નવા કેસો કરતા રિકવરી વધારે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2UW8OKy
No comments:
Post a Comment