નવી દિલ્હીઃ લદાખમાં થયેલી ચીન સાથે થયેલી અથડામણ બાદ સત્તા પક્ષ અને વિપક્ષ કોંગ્રેસ તરફથી એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરાઈ રહ્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પોતાના રાજકીય પ્રતિદ્વંદ્વીને ટાર્ગેટ કરીને આ ગંભીર મુદ્દાનું રાજકારણ કરી રહી છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહના કમેન્ટ પર ટિકા કરતા કોંગ્રેસે રવિવારે જણાવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા વિશે સવાલ કરવા અથવા પીએમ મોદીની જેમ ચીનનું દેશમાં ધૂસણખોરીના દાવાને નકારવો ‘એન્ટી નેશનલ’ છે?
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા અભિષેક સંઘવીએ કહ્યું કે, ભાજપ કોંગ્રેસને 2005માં RGF દ્વારા મળેલા 20 લાખ રૂપિયા વિશે પૂછી રહ્યું હતું, જ્યારે પીએમ ફંડ કેર્સમાં અત્યાર સુધી એકઠા થયેલા 10,000 કરોડ રૂપિયામાં ચાઈનીઝ કોર્પોરેટ્સ દ્વારા મોટા દાન આપવામાં આવ્યા છે. જેનો ચાઈનીઝ મિલિટ્રી સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે, ફંડને હાલમાં જ બનાવાયું હોવાથી આ બધું ચીન ઘુસણખોરી કરી રહ્યું હતું તે દરમિયાન જ બન્યું હતું.
અમિત શાહે કરેલા દાવા પર સવાલ કરતા સંઘવીએ કહ્યું, ‘રાહુલ ગાંધીના ‘સરેન્ડર મોદી’ કમેન્ટ પાછળનો હેતુ મોદીને વિનંતી હતી કે તેઓ ચીનની આક્રમકતા સ્વીકારે. કોંગ્રેસે કહ્યું કે, પીએમએ પોતાના ભાષણોમાં ચીન વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. સંઘવી કહે છે, ચીન આક્રમક હતું જે આપણા LAC તરફ આવ્યું હતું, જો પીએમએ આમ કહીને આપણને નેતૃત્વ આપ્યું હોત તો સમગ્ર દેશ તેમની સાથે ઊભો રહેત અને તેમના નેતૃત્વમાં ચીનને બહાર ફેંકી દીધું હોત. પરંતુ PM જે બોલ્યા તે વધુ એકદમ વિરોધી હતું કે ત્યાં કોઈ ઘૂસણખોરી થઈ નથી અને આ ચીનના વખાણ હતા. અને તમે કોંગ્રેસ પર આરોપ લગાવો છો. આ મજાક છે.’
AICCએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી પક્ષ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે RGF ફંડિંગ જેવા અસંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે. સંઘવીએ કહ્યું, પીએમ કેર્સ ફંડમાં દાન આપનારી ચાઈનીઝ કંપની શાઓમી છે જે PLA સાથે જોડાયેલી છે, આ ઉપરાંત પેટીએમ, ટિકટોક અને ઓપ્પો પણ છે. જ્યારે બીજી તરફ તેઓ કહે છે, દેશની કોઈપણ પાર્ટીને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે BJP જેવા ગાઢ સંબંધો નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3i9OEXu
No comments:
Post a Comment