Latest

Monday, June 29, 2020

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

અમદાવાદઃ જો તમે કોવિડ-19 સામેની જંગ જીતીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છો, તો તમે તમારા બ્લડ પ્લાઝ્મા ડોનેટ કરીને હાલમાં સંક્રમણ સામે લડી રહેલા દર્દીઓને બચાવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અત્યારે અમદાવાદમાં કોવિડ 19ના માત્ર 17 દર્દીઓને જ બ્લડ પ્લાઝ્માની સારવાર મળી રહી છે. આ સારવાર સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. સારવારની દર્દીઓની શરીરમાં અસર જોવા મળી રહી છે અને હાલ તેઓ રિકવરીના અલગ-અલગ સ્ટેજમાં છે.

સારવાર ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ)ની આગેવાની હેઠળના રાષ્ટ્રવ્યાપી ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે કરવામાં આવી રહી છે. સંશોધનકારો શક્યતાઓ વિશે ઉત્સાહિત છે કારણ કે, આ સારવાર જીવન બચાવવામાં મદદ કરી રહી છે.

પરંતુ દુઃખની વાત એ છે કે, શહેરમાં આ બીમારીથી સ્વસ્થ થયેલા 600 લોકોમાંથી માત્ર 35 જ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે તૈયાર થયા છે. ડોક્ટરો અને કાઉન્સેલરો દ્વારા આ 600 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અપીલ એક મહિના દરમિયાન કરવામાં આવી હતી.

પ્લાઝ્મા ડોનેટ કરવાનો ઈનકાર કરનારા મોટાભાગના લોકોએ તેમ કહીને ના પાડી કે તેઓ હજુ પણ બીમારીથી ડરેલા છે. તો કેટલાકને શક્તિ અને ઈમ્યૂનિટી ગુમાવી બેસવાનો ડર હતો. અન્યએ કહ્યું કે, હોસ્ટિપલોએ તેમને ડરાવી દીધા છે તેમજ પરિવારના સભ્યો ડોનેટ કરવાની મંજૂરી આપશે નહીં.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશવ્યાપી પ્લાઝ્મા ટ્રાયલ્સના પરિણામો જાહેર કરશે. તેથી સંશોધનકર્તાઓ અને ડોક્ટરો સાજા થયેલા દર્દીઓને જરૂરિયામંદ લોકોની મદદ માટે આગળ આવવાની સતત અપીલ કરી રહ્યા છે. ‘આ દર્દીઓ ઈન્ફેક્શન સામે લડ્યા હોવાથી તેમના પ્લાઝ્મામાં કોવિડ 19 એન્ટીબોડીઝ હોય છે’, તેમ ટ્રાયલ્સ સાથે જોડાયેલા એક ડોક્ટરે કહ્યું. ‘અમને પ્લાઝ્માનો થોડો ભાગ જ જોઈએ છીએ. ડોનેશન બાદ ઈમ્યૂનિટી ઓછી થઈ જશે તે વાત ખોટી છે’.

રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, સરકાર બ્લડ પ્લાઝ્મા બેન્ક બનાવવાનું વિચારી રહી છે. ‘આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ICMR મલ્ટિ-સેન્ટર ટ્રાયલ્સના પરિણામો જાહેર કરશે’.

કોણ પ્લાઝમા ડોનેટ કરી શકે?
– 18 વર્ષથી 65 વર્ષની ઉંમર સુધીના લોકો
– અન્ય કોઈ તકલીફ ન હોય અને વજન 50 કિલોથી ઉપર હોય તેવી સ્ત્રી અથવા પુરુષ
– પ્રેગ્નેન્ટ અથવા હાલમાં જ બાળકને જન્મ આપ્યો હોય તેવી સ્ત્રી ડોનેટ ન કરી શકે
– દર્દી કોવિડ-19થી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલો હોવો જોઈએ, એક પણ લક્ષણ ન હોવો જોઈએ
– પ્લાઝ્મા ડોનેટ કરતાં પહેલા કોવિડના ઓછામાં ઓછા બે RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવા જોઈએ.

કેટલીક એવી બાબતો જેના કારણે લોકો પ્લાઝ્મા ડોનેટ કરતાં ડરી રહ્યા છે…
સવાલઃ પ્લાઝ્મા ડોનેટ કર્યા બાદ શું મારી શક્તિ કે ઈમ્યૂનિટી ઓછી થઈ જશે?
જવાબઃ પ્લાઝ્મા ડોનેટ કરવાથી શક્તિ કે ઈમ્યૂનિટી ઓછી થતી નથી.

સવાલઃ જો હું ડોનેટ કરવા જાઉ તો ફરીથી મને ઈન્ફેક્શન થઈ શકે?
જવાબઃ ના. જે ડોક્ટરો આ પ્રોસેસ સાથે સંકળાયેલા છે તેઓ હાઈજીનનું પૂરતું ધ્યાન રાખે છે.

સવાલઃ જો હું અત્યારે ડોનેશન આપું તો મારું શરીર કોવિડ-19ની બીજી લહેર સામે લડવા માટે સક્ષમ હશે?
જવાબઃ એકવાર શરીર કોવિડ-19 સામે લડવા માટે એન્ટિબોડીઝ વિકસિત કરી લે પછી તે હંમેશા તે રીતે રહે છે

સવાલઃ કૉન્વલેસન્ટ પ્લાઝ્મા શું છે?
જવાબઃ તે બ્લડનો લિક્વિડ ભાગ છે, જે કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓમાંથી લેવામાં આવે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/31phCgb

No comments:

Post a Comment

Pages