પાર્થ શાસ્ત્રી, અમદાવાદઃ 26 માર્ચના રોજ અમદાવાદમાં કોરોનાથી પહેલું મૃત્યુ નોંધાયું હતું જે બાદ 103 દિવસમાં શહેરમાં કોરોનાથી કુલ 1500 લોકોના મોત નીપજ્યા છે. બુધવારે 5 કોરોના પોઝિટિવના મૃત્યુ બાદ અમદાવાદ દેશમાં કોરોનાના કારણે મરનારા દર્દીઓની સંખ્યામાં ત્રીજો મોટો જિલ્લો બની ગયો છે. જેમાં સૌથી પહેલા નંબરે મુંબઈ 5064 મોત, દિલ્હી 3213 મોત છે. જ્યારે ચેન્નઈમાં અત્યાર સુધીમાં 1143 વ્યક્તિઓનું કોરોનાના કારણે મોત નીપજ્યાનું નોંધાયું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જોકે રાજ્ય અનુસાર જોવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાના કારણે જેટલા મોત થયા છે તેના 75 ટકા મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. જ્યારે મુંબઈ જિલ્લામાં મહારાષ્ટ્રમાં કોવિડ-19થી મરનાર પૈકી ટકાવારી 53.6 ટકા છે. તો તામિનાડુના રાજ્યવાઇઝ આંકડા મુજબ ચેન્નઈની ટકાવારી 67.2 ટકા છે. અમદાવાદ જિલ્લાનો મૃત્યુ દર 6.7 ટકા છે જે મુંબઈના મૃત્યુદર 5.8 ટકા અને દિલ્હીના મૃત્યુદર 3 ટકા તેમજ ચેન્નઈના 1.6 ટકા કરતા ઘણો વધારે છે.
જોકે આ મામલે એક સારી બાબત જૂનના મધ્યથી જોવા મળી રહી છે કે જિલ્લામાં કોરોના કેસની સાથે સાથે કોરોનાથી મૃત્યુ અને મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુલાઈના પહેલા 8 દિવસમાં 4 ટકાના દર સાથે કુલ 60 મોત કોરોનાથી થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાને કાબૂમાં કરવા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવેલ એડિ. ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ કહ્યું કે ‘અમદાવાદમાં કો-મોર્બિડિટિઝ મામલે ઓપીડી ક્લિનિક દ્વારા યોગ્ય પ્રકારે દર્દીઓને સારવાર આપવામાં આવતા છેલ્લા થોડા સમયથી મૃત્યુદર ઓછો થયો છે. નહીંતર સ્થિતિ ભયંકર થઈ શકતી હતી.’
from Page Array – I Am Gujarat https://ift.tt/38GltXM
No comments:
Post a Comment