Thursday, July 9, 2020

સુરતઃ ડોક્ટરોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ, અત્યારસુધીમાં 131 થયા સંક્રમિત

મેલ્વિન રેજી થોમસ, સુરતઃ અનલોક 1 બાદ સુરતમાં કોવિડ-19ના કેસમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ડાયમંડ સિટીમાં સતત કામ કરતાં ફ્રંટલાઈન વોરિયર્સ પણ ઝડપથી જીવલેણ વાયરસનો શિકાર બની રહ્યા છે. અત્યારસુધીમાં ઓછામાં ઓછા 131 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી મોટાભાગના કેસ તો જૂન મહિનાના છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સુરત મહાનગરપાલિકાના ડેટા પ્રમાણે, અત્યારસુધીમાં 128 ડોક્ટરો તેમજ નર્સ સહિત 120 પેરામેડિક્સ સંક્રમિત થયા છે. જેમાંથી 70 ટકા કેસ 1 જૂન બાદના છે, જ્યારે શહેરમાં કેસમાં ઉછાળાની શરૂઆત થઈ હતી.

ધ ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના સુરત ચેપ્ટરે તેમના સાથીદારો- ફિઝિશિયન, ઓર્થોપેડિક્સ, રેડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને જનરલ સર્જનો કે જેઓ કોવિડ-19ના શિકાર બન્યા છે તેમની ગણતરી કરી છે.

છેલ્લા 15 દિવસમાં, ન્યૂ સિવિલ હોસ્પિટલ (NCH)ના 35 ડોક્ટરો, 25 ખાનગી પ્રેક્ટિશનરો અને NCH, સ્મીમેર તેમજ ખાનગી હોસ્પિટલની 15 જેટલી નર્સોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, કોવિડ-19ના વધતા જતા કેસોના કારણે પલ્મોનોલોજિસ્ટ, એનેસ્થેટિક્સ અને જનરલ ફિઝિશયન સહિત 200 જેટલા મેડિકલ અધિકારીઓની અછત છે. હાલમાં, સ્મીમેર હોસ્પિટલમાં આશરે રેસિડેન્ટ ડોક્ટરો સહિત 250 ડોક્ટરો છે. તાજેતરમાં સ્મીમેર હોસ્પિટલમાં 350 નર્સિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમાંથી 25 ટકા જેટલા ડ્યૂટી પર આવ્યા નથી.

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં IMA-સુરતના પ્રમુખ ડો.પારુલ વડગામાએ કહ્યું કે, ‘શહેરમાં કોવિડ-19ના કેસ રોજ 200નો આંકડો વટાવી રહ્યા છે. સાવચેતી રાખી હોવા છતાં દર્દીઓની તપાસ કરતાં હું પોતે વાયરસથી સંક્રમિત થઈ હતી. ચિંતાની વાત એ છે કે જો શહેરના વધુ ડોક્ટરો ચેપગ્રસ્ત થશે, તો દર્દીઓએ ભગવાનના ભરોસે જીવવું પડશે’.

IMA ગુજરાતના પ્રમુખ ડો. ચંદ્રશ જરદોશે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘ડોક્ટરો દર્દીઓના કારણે કે પછી વાતાવરણના કારણે સંક્રમિત થઈ રહ્યા છે તે ચર્ચાનો વિષય છે. ડોક્ટરો સતત 7થી 8 કલાક વ્યવસ્થિત ભોજન લીધા વગર કામ કરી રહ્યા હોવાથી તેમની ઈમ્યૂનિટી ઓછી હોઈ શકે છે. કોવિડ-19 વોર્ડમાં ડોક્ટરો પીપીઈ પહેરે છે, પરંતુ તેઓ ડ્યૂટી ખતમ કર્યા બાદ બહાર નીકળે છે, ત્યારે તેઓ વાયરસના સંપર્કમાં આવે છે’.



from Page Array – I Am Gujarat https://ift.tt/3ee7klC

No comments:

Post a Comment

Pages