Latest

Thursday, July 9, 2020

લાંચ માગનારા PSI શ્વેતા જાડેજાને આબરૂની ચિંતા, પ્રતિષ્ઠા ખંડિત થવાના ડરે માગ્યા જામીન

અમદાવાદ: લાંચ કેસમાં પકડાયેલા મહિલા PSI શ્વેતા જાડેજાએ બુધવારે સિટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, તેઓ પોતાના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને જો જામીન નહીં મળ્યા તો પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે. જણાવી દઈએ કે, શ્વેતા જાડેજાને મંગળવારે સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે વધુ રિમાન્ડની માગ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવીને જેલમાં મોકલ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મહત્વનું છે કે, PSI શ્વેતા જાડેજાએ બળાત્કારના આરોપી વેપારી કેનિલ શાહ અને તેના ભાઈ પાસેથી પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ગુનો ના નોંધવા માટે 20 લાખ રૂપિયાની લાંચ માગી હતી. પોતે નિર્દોષ હોવાનો દાવો કરતાં શ્વેતા જાડેજાએ દલીલ કરીએ કે, તેમણે આરોપી સામે પાસા હેઠળ ગુનો નોંધવાની વાત માર્ચ મહિનામાં કરી હતી. જ્યારે કથિત રીતે આ ગુનો ફેબ્રુઆરી અને જૂનમાં થયો હતો. ફરિયાદમાં વિસંગતતા હોવાથી તેની પ્રમાણિતતા પર સવાલ ઉઠ્યા છે.

26 જૂને પોલીસને ફરિયાદ મળી હતી કે PSI શ્વેતા જાડેજાએ લાંચ પેટે ફેબ્રુઆરીમાં 20 લાખ રૂપિયા અને હાલમાં જ 15 લાખ ફરિયાદી પાસેથી લીધા છે. જે બાદ પોલીસે ગત અઠવાડિયે PSI શ્વેતા જાડેજાની ધરપકડ કરી હતી. કથિત રીતે ફરિયાદીઓને જામજોધપુરના જયુભા નામના શખ્સને આંગડિયા પેઢી દ્વારા રૂપિયા મોકલવાનું કહેવાયું હતું.

જામીન આપવામાં આવશે તો તમામ શરતોનું પાલન કરવાની ખાતરી આપવાની સાથે PSI જાડેજા પોતાની વાતને વળગી રહ્યા હતા. તેમણે અરજીમાં રજૂઆત કરી કે, “અરજદાર તેમના ગામના પ્રતિષ્ઠિત રહેવાસી છે અને જો તેમને જામીન ના મળ્યા તો તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. પરિણામે તેમના આખા પરિવાર પર સંકટ ઊભું થશે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/38Fwngl

No comments:

Post a Comment

Pages