Latest

Friday, July 10, 2020

નવા રેકોર્ડ સાથે દેશમાં કોરોનાના વધુ 26,550 પોઝિટિવ કેસ નોંધાયા, 477નાં મોત

નવી દિલ્હીઃ 25,000 નવા કેસનો આંકડો પાર થયા બાદ ગુરુવારે પોઝિટિવ કેસનો એક નવો રેકોર્ડ નોંધાયો છે. જેમાં 26,500 કરતા વધારે કેસ નોંધાયા છે અને 477 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8 લાખની નજીક પહોંચી ગયો છે, ગુરુવારે નવા 26,550 કેસ સાથે કુલ કેસનો આંકડો 7.94 લાખ થયો છે.

કોરોના વાયરસને હરાવી ચૂકેલા દર્દીઓનો કુલ આંકડો 4.95 લાખ પર પહોંચી ગયો છે, જ્યારે એક્ટિવ કેસનો આંકડો 2.77 લાખ થયો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધવાની સાથે પાછલા 7 દિવસમાં મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. આ સાત (3-9 જુલાઈ) દિવસમાં સરેરાશ રોજના 485 લોકોના મોત નોંધાયા છે, જ્યારે આ પહેલાના સાત દિવસનો સરેરાશ આંકડો 417 હતો. જ્યારે એના પહેલા 395 હતા.

આ રેસ્ટોરન્ટમાં તૈયાર કરાયા માસ્ક આકારના પરાઠા

ગુરુવારે 6,875 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ કેસ નોંધાયા, ઉત્તરપ્રદેશમાં 1,248 અને બીહારમાં 704 કેસ નોંધાયા છે. જ્યારે 6 રાજ્યોમાં પણ નવા નોંધાયેલા કેસમાં ઉછાળો આવ્યો છે, જે આ પ્રમાણે છે- કર્ણાટકા 2,228, આંધ્રપ્રદેશ 1,555, પશ્ચિમ બંગાળ 1,088, ગુજરાત 861 અને ઓડિશા 577 નવા કેસ નોંધાયા. ગુજરાત દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે જ્યાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા દર્દીઓનો આંકડો 2,000ને પાર ગયો છે. આ સિવાય આ હરોળાં મહારાષ્ટ્ર અને દિલ્હી છે.

બેગ્લુરુ કે જ્યાં કોરોના કેસ બે કાબુ બન્યો હતો ત્યાં સ્થિતિ કાબૂમાં આવતી જણાઈ રહી છે, ગુરુવારે 24 કલાકમાં મુંબઈ અને ચેન્નાઈ કરતા વધારે કેસ નોંધાયા. બેંગ્લુરુમાં 1,373 નવા કેસ નોંધાયા જ્યારે મુંબઈમાં 1,268 અને ચેન્નાઈમાં 1,216 કેસ નોંધાયા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2VZUn8Q

No comments:

Post a Comment

Pages