Latest

Wednesday, July 8, 2020

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

અમદાવાદ: પોલીસ તપાસ દરમિયાન બળાત્કારના આરોપી પાસે 35 લાખ રૂપિયાની લાંચ માગનારા PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ ફગાવાયા છે. શહેરની ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડની માગ કરી હતી જે, અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટે ફગાવી છે. કોર્ટે પીએસઆઈ શ્વેતા જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શ્વેતા જાડેજાના વકીલે દલીલ કરી કે SOGને 20 લાખની કથિત લાંચ શ્વેતા જાડેજા પાસેથી ના મળી, માટે મારા અસીલના વધુ રિમાન્ડની માગણી યોગ્ય નથી. કોર્ટે નોંધ્યું કે, શ્વેતા જાડેજાના 1,12,098 રૂપિયાના મોબાઈલ માટે રૂપિયા કોણે ચૂકવ્યા હતા તેની પૂછપરછ માટે વધુ રિમાન્ડ આપવા તે માગણી અપૂરતી છે. કોર્ટે નોંધ્યું કે, આરોપી છેલ્લા ચાર દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે કૂરિયર દ્વારા લાંચના 20 લાખ રૂપિયા મેળવનારા દેવેન્દ્ર ઓડેદરાની તપાસ કરવા માટે શ્વેતા જાડેજાની જરૂર નથી. કોર્ટે આ બાબતો નોંધીને વધુ રિમાન્ડ ફગાવ્યા હતા.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કહ્યું, “SOGએ દેવેન્દ્ર ઓડેદરા (શ્વેતા જાડેજાના બનેવી)ની તપાસ કરવા વધુ રિમાન્ડ માગ્યા હતા. ઉપરાંત શ્વેતાએ કોઈ પ્રોપર્ટી ખરીદી છે કે કેમ અને તેની પાસે રહેલા 1.12 લાખ રૂપિયાના મોબાઈલના રૂપિયા કોણે ચૂકવ્યા હતા તેની પણ તપાસ કરવા રિમાન્ડ માગ્યા હતા. તપાસ માટે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવી જરૂરી છે.”

શ્વેતા જાડેજાના વકીલ આર. જે. ગોડાએ કહ્યું, “PSIની તપાસ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. ત્યારે આવી કોઈપણ પરવાનગી લીધા વિના FIR દાખલ કરવામાં આવી હતી. તેમણે કહેવાતો કોઈ ગુનો કર્યો નથી. તેમ છતાં ત્રણ દિવસ માટેના તેમના રિમાન્ડ અગાઉ મંજૂર થયા હતા. વધુ રિમાન્ડ માટેની માગણીઓ અગાઉની રિમાન્ડ અરજીમાં હતી તેવી જ છે. માટે તપાસમાં આરોપીની હાજરીની જરૂર નથી.”



from Page Array – I Am Gujarat https://ift.tt/38AQEnj

No comments:

Post a Comment

Pages