2 મહિના બાદ પાનના ગલ્લા ખુલ્યા બાદ હવે કોરોના વાયરસના ફેલાવાના કારણે આ જગ્યાઓ વધારે ખતરનાક સાબિત થતી દેખાઈ રહી છે, જેના કારણે સુરત બાદ હવે ખેડાના કપડવંજમાં પણ પાનના ગલ્લાની સાથે નાસ્તાની દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કપડવંજમાં એક જ દિવસની અંદર 5 કેસ સામે આવવાની ઘટના બાદ આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ કપડવંજમાં એક સાથે કોરોનાના 5 કેસ સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાનના ગલ્લાની સાથે ચા અને નાસ્તાની દુકાનો 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ જગ્યાઓ પર લોકોની ભીડ થતી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડાના કપડવંજમાં એક સામટા 5 કેસ આવવાના કારણે લોકો પાન-મસાલા અને નાસ્તા માટે બજારમાં ભીડ ના કરે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસો લંબાવવામાં આવશે કે નહીં તે આગામી બે દિવસમાં આ વિસ્તારમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે.
સુરતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થતાં હોટ સ્પોટ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં કતારપુર, સરથાના અને વરાછા વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં શનિવારથી પાન પાર્લર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે આગામી સાત દિવસ સુધી લાગુ રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3fctIwY
No comments:
Post a Comment