Latest

Wednesday, July 8, 2020

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

નવી દિલ્હીઃ ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ (CDSCO) દ્વારા કોરોના મહામારીના ઈલાજ માટે લેવાતી દવા રેમડેસિવીરની કાળાબજારીની ખબરો પર ધ્યાન આપ્યું છે. દવા નિયંત્રણ સંસ્થાને રાજ્યોને આ વિષયમાં નિર્દેશ આપ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રેમડેસિવીરની પૂરતા પ્રમાણમાં આપૂર્તિ કરવામાં આવે અને તેનો ભાવ સુનિશ્ચત કરવામાં આવે.

તેમણે એ પણ જણાવ્યું કે દેશમાં તમામ રાજ્યોમાં આ જીવનરક્ષક દવા રેમડેસિવીરના ભાવ પર નજર રાખવી પડશે જેથી તેની કાળાબજારી રોકી શકાય. ડ્રગ્સ કંટ્રોલર જનરલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ડ્રગ્સ કંટ્રોલરને પત્ર લખીને રેમડેસિવીરની કાળાબજારી રોકવા માટે જરુરી પગલા ભરવા માટે કહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પાછલા કેટલાક મહિનાઓથી દેશમાં ઘણાં રાજ્યો કોરોના વાયરસની દવા રેમડેસિવીરની આપૂર્તિ ઘટવા અને કાળાબજારીમાં કિંમત 6 ગણી વધવાની ખબરો આવી હતી. દિલ્હી-મુંબઈના ઘણાં હોસ્પિટલોમાંથી રેમડેસિવીર ગાયબ થવાની ખબર આવી ે.

બ્લેક માર્કટેમાં રેમડેસિવીરની કિંમત 6 ગણી વધી ગઈ હોવાની વાત સામે આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના બે અઠવાડિયા પહેલા સિપ્લા અને હેટેરોને રેમડેસિવીરનું જેનરિક વર્ઝનની આપૂર્તિની મંજૂરી આપી હતી. સિપ્લાએ રેમડેસિવીરની કિંમત 4,000 રુપિયા જ્યારે હેટેરોએ 5,400 રુપિયા રાખી છે. જોકે, આપૂર્તિની કમીના કારણે બ્લેક માર્કેટમાં આ દવાની કિંમત 30,000 રુપિયા સુધી વસુલવામાં આવે છે.

રાજકોટઃ પડધરીમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પૂરના પાણીમાં ઢોર તણાયા

કોરોનાના ઈલાજ માટે અત્યાર સુધીમાં કોઈ દેશ દ્વારા વેક્સીનની શોધ કરી શકાઈ નથી. માટે કોરોનાના લક્ષણોના આધારે જ દર્દીઓ પર અલગ-અલગ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ઘણી દવાઓના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

રેમડેસિવીરને પણ કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી મળી છે. જોકે, મંજૂરી મળ્યાના લગભગ બે અઠવાડિયા પછી સિપ્લાએ રેમડેસિવીરનું જેનરિક વર્ઝન બજારમાં ઉતાર્યુ નથી. હેટેરોએ આ બધા વચ્ચે દવાની 20,000 ફાઈલ માર્કટમાં મોકલી હતી જે લગભગ પૂરી થવા આવી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/31UyL1j

No comments:

Post a Comment

Pages