Latest

Monday, July 13, 2020

કોરોનાએ છીનવી રોજીરોટી, વતનમાં આ રીતે કમાણી કરી રહ્યા છે સુરતના રત્ન કલાકારો

દિલીપ જીરુકા, રાજકોટ/સુરતઃ કોરોના વાયરસ અને લોકડાઉનની સૌથી વધારે ખરાબ અસર રત્ન કલાકારોના જીવન પર થઈ છે. આ મહામારીએ તેમની રોજી-રોટી છીનવી લીધી છે. છેલ્લા 3 મહિનાથી તેઓ બેરોજગાર છે. મોંઘવારી અને ઉપરથી આ સમસ્યામાં કોઈ વ્યક્તિ ઘરનું ગુજરાન ચલાવે તો પણ કેવી રીતે? જ્યારે લોકડાઉન થયું ત્યારે સુરતના હજારો રત્ન કલાકારો પોતાના વતન ભણી જતા રહ્યા હતા, ત્યાં પણ હવે તેઓ અલગ-અલગ રીતે કમાણીનો પ્રયાસ કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમરેલી જિલ્લા વહીવટીતંત્રના અંદાજ પ્રમાણે કામ-ધંધો ન હોવાથી સુરતના આશરે 2.33 લાખ રત્ન કલાકારો પોતાના વતનમાં આવીને વસી ગયા છે. અહીંયા તેઓ અલગ-અલગ રીતે આવક મેળવી રહ્યા છે.

‘સુરતમાં કોઈ કામ ન મળતાં મજબૂરીમાં મારે પરિવારના 9 સભ્યો સાથે મારા વતન અમરેલીમાં આવવું પડ્યું. મારા પૂર્વજો વાળંદ કામ કરતા હતા અને મારા પિતાએ મને પણ નાનપણમાં આ કામ શીખવ્યું હતું. જેનો ઉપયોગ હવે હું કરી રહ્યો છું. હેર કટિંગ સલૂન સેટ ઊભું કરવા સિવાય માટે પાસે અન્ય કોઈ વિકલ્પ નથી’, તેમ ડાયમંડ સિટીના વરાછા વિસ્તારમાં રહેતા દીપક મૈસુરિયાએ જણાવ્યું હતું.

જગ્દીશ કોળી નામના અન્ય રત્ન કલાકાર સાથે પણ કંઈક આવું જ થયું છે. જેઓ કારખાના બંધ હોવાથી બેરોજગાર થતાં હાલ ટુ-વ્હીલર્સ અને ફોર વ્હીલર્સના ટાયરના પંક્ચર્સનું કામ કરે છે. ‘મારે પાસે કોઈ વિકલ્પ નહોતો. પરંતુ હું જાણતો હતો કે પંક્ચર્સ કેવી રીતે ઠીક કરી શકાય, મેં રોડ પર મારી પંક્ચર રિપેરની દુકાન ખોલી દીધી’, તેમ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કોળીએ કહ્યું.

આ મહામારીએ માત્ર નાના રત્ન કલાકારો જ નહીં પરંતુ સુરતના ડાયમંડ યુનિટમાં મેનેજર તરીકે કામ કરનારા ભૌતિક નાસિત જેવા અધિકારીઓને પણ ફટકો આપ્યો છે, જેઓ હાલ પોતાના વતન અમરેલી પરત ફર્યા છે. તેમનું વતન પાછા ફરવું એ દર્શાવે છે કે અન્ય રત્ન કલાકારો કેવી સ્થિતિમાં જીવી રહ્યા હશે.

‘મેનેજમેન્ટ એ મારું એક માત્ર કૌશલ્ય છે. હું બીજું કંઈ કરી શકતો નથી. તેથી અહીંયા મેં મજૂર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરુ કર્યું છે. હું જ્યાં કામ કરતો હતો તે યુનિટ બંધ થઈ ગયું છે અને હું હવે કોરોનાગ્રસ્ત શહેરમાં પાછો ફરવા માગતો નથી’, તેમ એક વ્યક્તિએ જણાવ્યું હતું.

ગભરુ મુંધવા પશુપાલન કરી ચૂક્યા છે અને હવે તેઓ પોતાના પૂર્વજોના વ્યવસાય તેવા ગાય અને ભેંસના દૂધના વેપારમાં જોડાયા છે.

કમલેશ પટેલ, પોતાના ખેતરમાં મગફળીની ખેતી કરતાં ખેડૂત બનીને વતન પરત ફર્યા છે. અને રત્ન કલાકાર તરીકે તેઓ જે કામ કરી શકે તેના કરતાં વધુ કામગીરી કરવાની આશા સાથે વાવણી કરી રહ્યા છે.

સુરત: મંત્રીના પુત્ર સાથે વિવાદથી ચર્ચામાં આવેલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનું ચોંકાવનારું વર્તન



from Page Array – I Am Gujarat https://ift.tt/304mYuT

No comments:

Post a Comment

Pages