Latest

Monday, July 13, 2020

રાજસ્થાનમાં કોંગ્રેસ પર સંકટ, આજનો દિવસ મહત્વનો, ધારાસભ્યો માટે વ્હીપ જાહેર

રાજસ્થાનમાં ઉભી થયેલી રાજકીય સ્થિતિ ચરમ પર પહોંચી છે. મોડી રાત્રે રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અવિનાશ પાંડે, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અવિનાશ પાંડેએ કહ્યું કે અશોક ગેહલોત સરકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના 109 ધારાસભ્યોએ સરકારને સમર્થન પત્ર સોંપ્યો છે.

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટના કારણે પણ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. તેમની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે પોતાની સોમવારે થનારી બેઠક માટે વ્હીપ જાહેર કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અટકળો એવી પણ લગાવવામાં આવી રહી છે કે ડેપ્યુટી સીએમ સચિન પાઈલટના સમર્થનમાં કોંગ્રેસના લગભગ 30 ધારાસભ્યો છે. આ સિવાય કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ તેમના સમર્થનમાં છે. સૂત્રોનું કહેવું છે કે 30માંથી 12-15 ધારાસભ્યો જલદી રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે કહે છે કે 109 ધારાસભ્યોનો સમર્થન પત્ર મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે પહોંચી ગયો છે અને સોમવારે સવારે બેઠકમાં આવશે. તેમણે કહ્યું કે બાકી લોકો જો બેઠકમાં નથી આવતા તો તેમનું સભ્ય પદ કાપવામાં આવશે.


16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન 

રાજસ્થાનના યુવા નેતા અને પાર્ટીના ઉપ-મુખ્યમંત્રી સચિન પાઈલટરની નારાજગી બાદ પ્રદેશ સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જોકે, આ પ્રકારની અટકળોને પ્રદેશ અધ્યક્ષ ફગાવી રહ્યા છે. તેઓ કહે છે કે, 10-11 વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે.

રાજસ્થાનના રાજકીય ગરમાવા વચ્ચે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, દિલ્હીમાં સચિવ પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત થઈ છે. બન્ને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ છે, જોકે, આ મુદ્દા પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AW6e0s

No comments:

Post a Comment

Pages