Latest

Monday, July 13, 2020

ગીર સોમનાથઃ શિકારની શોધમાં 3 સિંહણે તરીને પાર કરી શેત્રુંજી નદી!

સૌજન્યઃ ટ્વિટર 

રાજકોટઃ આપણે ત્યાં એવું કહેવાય છે કે વાઘ સારા તરવૈયા હોય છે. જ્યારે સિંહ અને પાણીને કોઈ સંબંધ નથી. એટલે કે સિંહને તરતાં આવડતું નથી અને તેથી તેઓ પાણીથી દૂર રહે છે. પરંતુ ભોજન માટેની શોધ કોઈ પાસે શું ન કરાવી શકે?

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ગીર પૂર્વનો છે. આ વીડિયોમાં એક નહીં પરંતુ ત્રણ-ત્રણ સિંહણો રાવલ ડેમ પાસેની શેત્રુંજી નદીમાં 200 મીટરનું અંતર તરીને કાપતી જોવા મળી. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, સિંહણો કેવી રીતે ચપળતા અને જાણે તરવાનું સારી રીતે જાણતી હોય તે રીતે તરીને નદી પાર કરી રહી છે.

આ વીડિયો ગીર પૂર્વના નાયબ વન સંરક્ષક અંશુમ શર્માએ પોતાના વોટ્સએપ તેમજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેમણે આ સાથે લખ્યું છે કે, ‘એક એવી દંતકથા છે કે, સિંહ તરી શકતા નથી. પરંતુ આ વીડિયોએ આ માન્યતાને સ્પષ્ટ રીતે તોડી પાડી છે અને તે દર્શાવે છે કે સિંહ પણ તરવાનું પસંદ કરે છે. આ વીડિયોને બીટ ગાર્ડ આર.એસ. સરલા દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યો છે’.

‘સિંહણોએ દેખીતી રીતે હરણના શિકાર માટે નદી પાર કરી હશે’, તેમ શર્માએ ઉમેર્યું.



from Page Array – I Am Gujarat https://ift.tt/38QyT3q

No comments:

Post a Comment

Pages