Latest

Monday, July 13, 2020

મણિનગરઃ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના અનુગામીની નિમણૂંક


અમદાવાદઃ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું સ્વાસ્થ્ય છેલ્લા 6 દિવસથી નાદુરસ્ત છે. જેના પગલે તેમના અનુગામી વારસદાર તરીકે જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની વરણી કરવામાં આવેલી છે. આ અંગે અમદાવાદ મણિનગર સ્વામીનારાયણ સંસ્થાનના સ્વામી ભગવતપ્રિયદાસજી સહિતના સંતો દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને જણાવવામાં આવી હતી. આ અંગે 9 જુલાઈના રોજ મંદિરના બ્રહ્મહોલમાં ગુરૂદેવ મુક્તજીવન સ્વામીબાપાના સદ્દગુરૂ સંતો અને વરિષ્ઠ સંતોની વિશેષ બેઠક યોજાઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા પ્રેસનોટ જાહેર

આ પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, ગુરૂદેવ મુક્તજીવન સ્વામીબાપાએ આ લોકમાંથી મનુષ્ય લીલા સંકેલ્યા પહેલા જ પોતાના અનુગામી તરીકે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની નિમણૂંક કરી હતી. પરંતુ લાંબા સમયથી આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે તેમના અનુગામીની નિમણૂંક થઈ નથી. આ પરિસ્થિતિ થાય તો અનુગામીની પસંદગી કરવા માટેની પ્રક્રિયા મુક્તજીવન સ્વામીબાપા સંત-પાર્ષદ મંડળ બંધારણમાં જણાવ્યું છે તે ન્યાયે તમામ સંતોની સહમતિ અને સમર્થન સાથે વરિષ્ઠ સંતોએ સદ્દગુરૂ શાસ્ત્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીને સ્વામી મહારાજના અનુગામી તરીકે નિમણૂંક કરી છે.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની તબીયત વધુ લથડી

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત હજી પણ નાજુક છે. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી.

વિશ્વભરમાં અખંડ સ્વામિનારાયણ ધૂન

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તે માટે ગાદી સંસ્થાન હસ્તકના વિશ્વભરના તમામ મંદિરો ઉપરાંત હરિભક્તો દ્વારા તેમના ઘેર સતત સ્વામિનારાયણ ધૂન બોલાવાઈ રહી છે. મણિનગર ગાદી સંસ્થાનના અનુયાયીઓ ભારત સહિત દેશ-વિદેશમાં ફેલાયેલા છે. સંસ્થાન સાથે ભારત સહિત દુનિયામાં 250 જેટલા મંદિરો, સ્કૂલો, કોલેજ, હોસ્ટેલ્સ, હોસ્પિટલ્સ અને વ્યસન મુક્તિ કેન્દ્રો જોડાયેલા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OiBrhl

No comments:

Post a Comment

Pages