Latest

Friday, July 10, 2020

પવિત્ર શ્રાવણ માસમાં ‘સર્વાથ સિદ્ધિ યોગ’ કાર્યોમાં અપાવશે સફળતા, આ મંત્રનો કરો જાપ

21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. આ વખતે ચાર શ્રાવણિયા સોમવાર આવશે. દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનું આ મહિનામાં અનેરું મહત્વ છે. ભોળાનાથની ભક્તિ આરોગ્ય અને દીર્ઘાયુ માટે પણ કરવામાં આવે છે ત્યારે કોરોના મહામારીમાં સૌની રક્ષા માટે પ્રાર્થના કરજો. આ વખતે શ્રાવણ મહિનામાં વિશિષ્ટ યોગ હોવાથી તેનું પુણ્યબળ વધી જાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શ્રાવણ મહિનાના આરંભે ‘સર્વાર્થ સિદ્ધિ યોગ’ બની રહ્યો છે. 3 ઓગસ્ટે રક્ષાબંધન છે ત્યારે આ દિવસે પણ સોમવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાઈ રહ્યો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ છે. ઉપરાંત રક્ષાબંધને પણ શ્રવણ નક્ષત્ર અને સોમવારનો સમન્વય થવાથી સર્વાર્થ સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. તો 12 ઓગસ્ટે આવતી જન્માષ્ટમીના દિવસે પણ આ સંયોગ જોવા મળશે.

આ સિવાય શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર એટલે કે 17 ઓગસ્ટે પણ સર્વાર્થ સિદ્ધિ યોગ છે. જ્યોતિષાચાર્ય અનુસાર, સર્વાર્થ સિદ્ધિ યોગના દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. માટે જ આ દિવસનું મહત્વ વધી જાય છે. સત્યનારાયણની કથા, પિતૃકુપા મેળવવાના કાર્યો, ગ્રહ-પૂજા માટે ઉત્તમ દિવસ છે. માનસિક શાંતિ મેળવવા માટે આ દિવસે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો. આ મંત્રની 5 કે 11 માળા પણ કરી શકાય.

આ વખતે કોરોના મહામારીના કારણે શ્રાવણ મહિનામાં ભોળાનાથની ભક્તિ ઘરે જ કરવી. ઘરે શિવલિંગ હોય તો દેશી ગાયના દૂધ સાથે કાળા તલ મિશ્રિત જળનો અભિષેક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જેઓ અભિષેક ના કરી શકે તેઓ ‘ઓમ નમઃ શિવાય’ અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/38IeBJh

No comments:

Post a Comment

Pages