બિહારના મુજફ્ફરપુરની કોર્ટે આપ્યો આદેશ
પટણા: બિહારના મુજફ્ફરપુર જિલ્લાની એક કોર્ટે બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સલમાન અને તેના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘લવરાત્રિ’ની સામે નોધાયેલી ફરિયાદ પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો.એક વકીલે નોંધાવી હતી ફરિયાદ

મુજફ્ફરપુરની કોર્ટમાં લવરાત્રિ ફિલ્મના ટાઈટલથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. સુધીર કુમાર ઓઝા નામના વકીલએ સલમાનની ફિલ્મ લવરાત્રિ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રો મુજબ, કોર્ટના આદેશ પછી અહીંના મિઠનપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ શકે છે.
‘લવરાત્રિ’માં સલમાન તેના બનેવીને કરી રહ્યો છે લોન્ચ

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના પ્રોડ્યૂસર સલમાન ખાન અને તેની માતા છે. આ ફિલ્મ દ્વારા સલમાન પોતાની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. ‘લવરાત્રિ’ ફિલ્મની ટીમ પર સાંપ્રદાયિક સદભાવના બગાડવાનો આરોપ છે. સલમાન ખાન પ્રોડક્શન કંપનીની ફિલ્મ લવરાત્રિના મામલે સલમાન સહિત 7 અન્ય લોકોને આરોપી બનાવાયા છે.
સલમાનને ફટકારનારને ઈનામ આપવાની જાહેરાત

આ પહેલા આગ્રામાં હિંદુવાદી સંગઠનોએ ફિલ્મનો વિરોધ કરતા સલમાનું પૂતળું સળગાવ્યું હતું. સંગઠનના આગ્રા પ્રમુખ ગોવિંદ પરાશરે સલમાન ખાનને માર મારનારને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. વીએચપીએ કહ્યું હતું કે, ફિલ્મથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે, એટલે તેની સ્ક્રીનિંગ થવા નહીં દેવાય.
No comments:
New comments are not allowed.