નવી દિલ્હી: દારૂના વેપારી વિજય માલ્યાના સ્ટેટમેન્ટ બાદ કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર શરૂ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘વિજય માલ્યા દ્વારા લગાવાયેલા આરોપો ઘણા ગંભીર છે. વડાપ્રધાને આ મામલે તાત્કાલિક સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી અરુણ જેટલીને નાણાંમંત્રી પદે પર ન રહેવું જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, બુધવારે પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન દારૂના વેપારી વિજય માલ્યાએ એક સ્ટેટમેન્ટ આપીને ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડતા પહેલા નાણાંમંત્રીને મળીને આવ્યો હતો. માલ્યાએ કહ્યું કે, ‘તે સેટલમેન્ટને લઈને નાણાંમંત્રીને મળ્યો હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાનને લઈને સવાલ ઊભા કર્યા.’ માલ્યાએ કહ્યું કે, તે પોતાનું દેવું ચૂકવવા તૈયાર છે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ બ્લોગ લખીને આ બધા આરોપોને ફગાવી દીધા. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘વિજય માલ્યાએ કહ્યું કે તે ભારત છોડતા પહેલા સેટલમેન્ટ ઓફરને લઈને મને મળ્યા હતા. તથ્યાત્મક રીતે આ નિવેદન તદ્દન ખોટું છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યાને મુલાકાત માટે કોઈ અપોઇમેન્ટ નથી આપી, એવામાં મને મળવાનો સવાલ જ ઊભો નથી થતો.’
જેટલીએ કહ્યું કે, ‘જોકે, તે રાજ્યસભા સભ્ય હતા અને ક્યારેય ક્યારેક સંસદમાં આવતા હતા. સંસદની કાર્યવાહી બાદ એક વખત હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તે દોડતા-દોડતા મારી તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી રહ્યો છું.’ મેં તેમની ઓફર જાણવાનો પણ પ્રયાસ નહોંતો કર્યો. મેં માલ્યાને કહ્યું કે, મારી સામે ઓફર રાખવાનો કોઈ અર્થ નથી, તેમણે એ વાત પોતાની બેંકો સામે રાખવી જોઈએ. ત્યાં સુધી કે એ દરમિયાન તેમના હાથમાં જે પેપર હતા, તે પણ મેં નહોંતા લીધા.’
આ પણ વાંચો: દેશ છોડતા પહેલા નાણાંમંત્રીને મળ્યો હતો: માલ્યા, જેટલીએ કહ્યું- એ સાચું નથી
જોકે, તેના થોડા સમય બાદ વિજય માલ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘મેં સંસદમાં તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, હું લંડન માટે નીકળી રહ્યો છું. તેમની સાથે મારી કોઈ સત્તાવાર મુલાકાત નહોંતી થઈ. તે પછી સમયની સાથે મેં સંસંદમાં ઘણા સહયોગીઓ સાથે મુલાકાત કરી અને મારા દેવાને સેટલ કરવાની ઈચ્છા વિશે જણાવ્યું. મને નથી લાગતું કે મારે આ વિશે કોઈ જાણકારી આપવી જોઈએ.’
આ પણ વાંચો: માલ્યા કેસઃ CBIએ UK કોર્ટમાં રજૂ કર્યો જેલનો વીડિયો
માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસે સરકાર અને નાણાંમંત્રીને ઘેર્યા. સીનિયર વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે, ‘કોંગ્રેસ લાંબા સમયથી એ કહી રહી છે કે, માત્ર વિજય માલ્યા જ નહીં, પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત અન્યોને કોઈ કાર્યવાહી વિના જવા દેવાયા.’
Given Vijay Mallya’s extremely serious allegations in London today, the PM should immediately order an independent probe into the matter. Arun Jaitley should step down as FInance Minister while this probe is underway.— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2018
ઉલ્લેખનીય છે કે, બુધવારે પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન દારૂના વેપારી વિજય માલ્યાએ એક સ્ટેટમેન્ટ આપીને ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડતા પહેલા નાણાંમંત્રીને મળીને આવ્યો હતો. માલ્યાએ કહ્યું કે, ‘તે સેટલમેન્ટને લઈને નાણાંમંત્રીને મળ્યો હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાનને લઈને સવાલ ઊભા કર્યા.’ માલ્યાએ કહ્યું કે, તે પોતાનું દેવું ચૂકવવા તૈયાર છે.
નાણાંમંત્રી અરૂણ જેટલીએ બ્લોગ લખીને આ બધા આરોપોને ફગાવી દીધા. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘વિજય માલ્યાએ કહ્યું કે તે ભારત છોડતા પહેલા સેટલમેન્ટ ઓફરને લઈને મને મળ્યા હતા. તથ્યાત્મક રીતે આ નિવેદન તદ્દન ખોટું છે. 2014થી અત્યાર સુધી મેં માલ્યાને મુલાકાત માટે કોઈ અપોઇમેન્ટ નથી આપી, એવામાં મને મળવાનો સવાલ જ ઊભો નથી થતો.’
જેટલીએ કહ્યું કે, ‘જોકે, તે રાજ્યસભા સભ્ય હતા અને ક્યારેય ક્યારેક સંસદમાં આવતા હતા. સંસદની કાર્યવાહી બાદ એક વખત હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે તે દોડતા-દોડતા મારી તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી રહ્યો છું.’ મેં તેમની ઓફર જાણવાનો પણ પ્રયાસ નહોંતો કર્યો. મેં માલ્યાને કહ્યું કે, મારી સામે ઓફર રાખવાનો કોઈ અર્થ નથી, તેમણે એ વાત પોતાની બેંકો સામે રાખવી જોઈએ. ત્યાં સુધી કે એ દરમિયાન તેમના હાથમાં જે પેપર હતા, તે પણ મેં નહોંતા લીધા.’
આ પણ વાંચો: દેશ છોડતા પહેલા નાણાંમંત્રીને મળ્યો હતો: માલ્યા, જેટલીએ કહ્યું- એ સાચું નથી
જોકે, તેના થોડા સમય બાદ વિજય માલ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘મેં સંસદમાં તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, હું લંડન માટે નીકળી રહ્યો છું. તેમની સાથે મારી કોઈ સત્તાવાર મુલાકાત નહોંતી થઈ. તે પછી સમયની સાથે મેં સંસંદમાં ઘણા સહયોગીઓ સાથે મુલાકાત કરી અને મારા દેવાને સેટલ કરવાની ઈચ્છા વિશે જણાવ્યું. મને નથી લાગતું કે મારે આ વિશે કોઈ જાણકારી આપવી જોઈએ.’
આ પણ વાંચો: માલ્યા કેસઃ CBIએ UK કોર્ટમાં રજૂ કર્યો જેલનો વીડિયો
માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસે સરકાર અને નાણાંમંત્રીને ઘેર્યા. સીનિયર વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે, ‘કોંગ્રેસ લાંબા સમયથી એ કહી રહી છે કે, માત્ર વિજય માલ્યા જ નહીં, પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત અન્યોને કોઈ કાર્યવાહી વિના જવા દેવાયા.’
No comments:
New comments are not allowed.