વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે પર WHOનો રિપોર્ટ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન(WHO) અનુસાર દુનિયામાં દર વર્ષે આશરે આઠ લાખ લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દે છે. ખાસ વાત એ છે કે, 2016માં આત્મહત્યા કરનારા મોટાભાગના લોકોની ઉંમર 15-29 વર્ષની રહી. જણાવી દઈએ કે, WHO દ્વારા સોમવારે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે પર આયોજિત એક સમારોહમાં WHO તથા કેનેડાના માનસિક સ્વાસ્થ્ય આયોગે આત્મહત્યા રોકવામાં સમુદાયોની સહાય માટે એક ટૂલકિટ રજૂ કરી હતી. અહીં લોકોને આત્મહત્યા કરનારાઓ વિશે જાણકારી આપવામાં આવી.
20% લોકો ઝેર ખાઈને કરે છે સુસાઈડ

રિપોર્ટ અનુસાર, 2016માં આત્મહત્યા કરનારા લોકોમાં મોટાભાગના લોકો એવા હતા જેઓ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા હતા. સમારોહમાં જણાવવામાં આવ્યું કે, દુનિયામાં એવી આત્મહત્યા જેવી ઘટનાઓ વધી રહી છે અને દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. એક અનુમાન પ્રમાણે દુનિયામાં 20 ટકા લોકો આત્મહત્યા કરવા માટે ઝેરનો ઉપયોગ કરે છે.
ગ્રામીણ-ખેતી આધારિત વિસ્તારોમાં વધુ પ્રમાણ

રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, મોટાભાગના લોકો ગ્રામીણ અને ખેતી આધારિત આવક ધરાવતા દેશો સાથે સંબંધ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓએ કહ્યું કે, આત્મહત્યા માટે ઝેર બાદ ફાંસી અને આગનો ઉપયોગ કરવામાં આવે છે.
ધનિક દેશોમાં આ કારણોસર થાય છે સુસાઈડ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધારે આવક ધરાવનારા દેશોમાં મોટાભાગની આત્મહત્યાઓ ડિપ્રેશન અને રિસ્ટ્રિક્શનના કારણે કરવામાં આવે છે.
No comments:
New comments are not allowed.