Latest

Wednesday, November 14, 2018

2017 પછીના 50% IPOમાં નુકસાન



66618673

પવન બુરુગુલા/સનમ મીરચંદાની

મુંબઈ:કંપનીઓમાં આઇપીઓમાં રોકાણની બાજી ઊંધી પડી છે, કારણ કે શેરબજારમાં નરમાઈથી છેલ્લા એક વર્ષમાં લિસ્ટિંગનો મોટા ભાગના લાભ ધોવાઈ ગયો છે. 2017 પછી આઇપીઓ લાવનારી 60માંથી 35 કંપનીઓના શેરો હાલમાં તેમના આઇપીઓના ઇશ્યૂ ભાવ કરતાં નીચા સ્તરે ટ્રેડ થાય છે. તેમાં 20 કંપનીઓના શેરો 20 ટકાથી વધુ ઘટ્યા છે.

નવી લિસ્ટિંગ કંપનીઓને ટ્રેક કરતા બીએસઇના આઇપીઓ ઇન્ડેક્સમાં 2018માં 14 ટકા ઘટાડો થયો છે. આઇપીઓ રોકાણ કરીને તેને જાળવી રાખવાની જગ્યાએ નવા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં રોકાણ કરનારા લોકોની સ્થિતિ વધુ સારી છે.

આવી કંપનીઓમાં સી એલ એજ્યુકેટ સૌથી ખરાબ દેખાવ કર્યો છે. તેનો શેર આઇપીઓના ઇશ્યૂ ભાવથી આશરે 77 ટકા ગબડ્યો છે. એસ ચાંદ, ભારત રોડ નેટવર્ક, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને એપોલો માઇક્રોસિસ્ટમના શેરમાં ઇશ્યૂ ભાવથી આશરે 50 ટકા ધોવાણ થયું છે.

આ સમયગાળામાં આઇપીઓ કરનારી તમામ સરકારી કંપનીઓ તેમના ઇશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થાય છે. તેમાં મિધાની અને રાઇટ્સ એ બે કંપનીઓ અપવાદ છે. જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો શેર ઇશ્યૂ ભાવથી 65 ટકા તૂટ્યો છે તથા ભારત ડાઇનેમિક્સ અને હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર તેમના ઇશ્યૂ ભાવથી અનુક્રમે 31 ટકા અને 26 ટકા ગબડ્યા છે.

બજારના નિરીક્ષકોએ જણાવ્યું હતું કે પ્રીમિયમ વેલ્યુએશન સહિતનાં વિવિધ પરિબળોને કારણે નવી લિસ્ટેડ કંપનીઓના શેરમાં કરેક્શન જરૂરી હતું. 2017 અને 2018ના પ્રારંભમાં શેરબજાર તેજીના તબક્કામાં હતું અને બેન્ચમાર્ક સૂચકાંકો વિક્રમ ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આવા બજારમાં આઇપીઓ માર્કેટમાં ધમધમાટ હતો. આ સ્થિતિનો લાભ લઈને ઘણી કંપનીઓ ઊંચા વેલ્યુએશનને શેરો વેચ્યા હતા.

અગ્રણી કંપનીના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના વડાએ જણાવ્યું હતું કે તાજેતરના મોટા ભાગના આઇપીઓ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ જેવા રોકાણકારોને એક્ઝિટ આપવા માટેના હતા. આ રોકાણકારો મહત્તમ લાભ લેવા માંગતા હતા અને બીજા રોકાણકારોની પૂરતી માંગ હતી, તેથી આ આઇપીઓ ઊંચું વેલ્યુએશન હોવા છતાં સફળ થયા હતા.

મિડ-કેપ શેરોમાં ભારે કરેક્શનને કારણે પણ ઘણી કંપનીઓને અસર થઈ હતી, કારણ કે મોટા ભાગની નવી લિસ્ટેડ કંપનીઓ આ કેટેગરી હેઠળ આવતી હતી. બીએસઇના મિડ-કેપ ઇન્ડેક્સમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 16 ટકા ઘટાડો થયો છે. મોટા ભાગના શેરોમાં ભારે ધોવાણ થયું છે.

ICICI સિક્યોરિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય સરાફે જણાવ્યું હતું કે, “નવી લિસ્ટેડ કંપનીઓના શેરના દે‌ખાવ બજારના ટ્રેન્ડ આધારિત હોય છે. આમાંથી ઘણી કંપનીઓ મિડ-કેપ સેગમેન્ટની હતી અને આ કંપનીઓના શેરોમાં પણ મિડ-કેપ શેરો જેવો ટ્રેન્ડ આવ્યો છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં વધુ પડતા આઇપીઓને કારણે પણ અસર થઈ હતી. 2016થી 2018 દરમિયાન આવેલા કુલમાંથી આશરે 50 ટકા આઇપીઓ ફાઇનાન્શિયલ સેક્ટરના હતા.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2TfGWPl

No comments:

Post a Comment

Pages