જોશેલ મેન્ડોન્કા
બેંગલુરુ:ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતમાં આરોગ્ય સારવાર અને પ્રદૂષણની સમસ્યાને રાષ્ટ્રીય મુદ્દા તરીકે ગણવા માંગણી કરી છે. ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્રમ બાદ આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, “દિવાળી પછી દિલ્હીને વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. મને આ સમાચાર સાંભળી બહુ આઘાત લાગ્યો હતો. ભારતીયો તરીકે આપણે બધાં એક થઈએ અને કહીએ કે આપણે આ સમસ્યાનો ઉકેલ લાવીશું.” તેમણે જણાવ્યું હતું કે, કામચલાઉ પગલાં લેવાને બદલે સર્વગ્રાહી ઉકેલ લાવવાની જરૂર છે.
મૂર્તિએ પાણી અને વીજળી એવાં બે ક્ષેત્રો ગણાવ્યાં હતાં, જેના પર ભારતીય વિજ્ઞાનીઓ પોતાના પ્રયાસો પર ફોકસ કરી શકે છે, જેથી દેશને મોટો લાભ થાય. તેમણે ઉમેર્યું હતું કે, “દેશમાં પાણીની તીવ્ર અછત છે. આપણા વિજ્ઞાનીઓએ દરિયાઈ પાણીને પીવાલાયક અને ધોવાલાયક કઈ રીતે બનાવવું તેના પર કામ કરવું જોઈએ. આ કામ થવું જ જોઈએ. એ ખૂબ જરૂરી છે. વિજ્ઞાનીઓએ સૌર ઊર્જાનું વીજળીમાં કાર્યક્ષમ રીતે ઉત્પાદન કરવાની દિશામાં પણ તેમણે વિચારવું જોઈએ.”
“વિજ્ઞાનને આકર્ષક કારકિર્દી તરીકે જોવાની જરૂર છે અને બાળકો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ રિસર્ચમાં જાય એ માટે તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આ માટે, નેતાઓએ વિજ્ઞાનીઓની ભૂમિકા અંગે વાત કરવાની અને તેમનું સન્માન કરવાની જરૂર છે. તમે પદ્મ એવોર્ડની યાદી જુઓ. એમાં કેટલા વિજ્ઞાનીઓ હોય છે? તમે સંગીતકારો અને બીજાઓને પદ્મ એવોર્ડ આપો છો. હું સંગીતનો વિરોધી નથી પણ વિજ્ઞાન પણ મહત્ત્વનો વિષય છે. કદર અને સન્માન થતું હોય તેવી કોઈ પણ કારકિર્દીને લોકો સન્માન આપે જ છે.”
વિજ્ઞાનીઓની કદર કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફોસિસે સાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ એવોર્ડ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ, હ્યુમેનિટીઝ, લાઇફ સાયન્સ, મેથમેટિકલ સાયન્સિસ, ફિઝિકલ સાયન્સિસ અને સોશિયલ સાયન્સિસ એમ છ કેટેગરીમાં આપવામાં આવે છે. એવોર્ડમાં પ્યોર ગોલ્ડ મેડલ, પ્રશસ્તિપત્ર અને એક લાખ ડોલરનું ઇનામ આપવામાં આવે છે.
]]>
from Page Array – I Am Gujarat https://ift.tt/2zQWQXi
No comments:
Post a Comment