તમે કેટલો સામાન લઈ જઈ શકો તે આ નક્કી કરે છે

ભારતીય રેલવેમાં પેસેન્જર્સને પોતાના સાથે સામાન લાવવા અને લઇ જવા માટે પણ કેટલાક નિયમો બનાવેલા છે. આ નિયમોના આધાર પર પેસેન્જર્સ પોતાની સાથે એક નક્કી સીમા સુધી ફ્રીમાં સામાન લઇ શકે છે. જો તે વધારે ભારે સામાન પોતાની સાથે લઇ જાય છે તો તેનો એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહે છે. આ ચાર્જ મુસાફરી માટે નક્કી કરવામાં આવેલા ક્લાસ પર નિર્ભર કરે છે.
જે ક્લાસની ટિકિટ કઢાવી હોય તે મજુબ સીમા અલગ અલગ

એસી 1,2 અને 3rd ક્લાસ માટે રેલવેમાં સામાન લઇ જવા માટે અલગ-અલગ સીમાઓ નક્કી કરવામાં આવી છે. એસ ફર્સ્ટ માટે ફ્રી એલાઉન્સ સીમા 70 કિલો, 15 કિલો અને મહત્તમ સીમા 150 કિલો છે. એસી 2 ટિયર માટે ફ્રી એલાઉન્સ લિમિટ 50 કિલો, માર્ઝિનલ એલાઉન્સ 10 કિલો અને સામાન લઇ જવાની મહત્તમ સીમા 100 કિલો છે. એસી 3 ટિયર માટે ફ્રી એલાઉન્સ લિમિટ 40 કિલો, માર્ઝિનલ એલાઉન્સ 10 કિલો છે.
સેકન્ડ ક્લાસ સ્લિપર માટે હોય છે આ સીમા

સ્લીપર ક્લાસ માટે ફ્રીમાં સામાન લઇ જવાની સીમા 40 કિલો, જેમા 10 કિલોનું માર્ઝિનલ એલાઉન્સ અને મહત્તમ 80 કિલોનો સામાન લઇ જઇ શકાય છે. સેકન્ડ ક્લાસમાં ફ્રી સામાન જઇ જવાની સીમા 35 કિલો અને માર્ઝિનલ અલાઉન્સ 10 કિલો છે.
આનાથી મોટી બેગ તમે ન રાખી શકો, નહીંતર થશે દંડ

પેસેન્જર કોચમાં 100 સેમીx 60 સેમી x 25 સેમીથી વધારે સાઇઝવાળા બેડ, સૂટકેસ અને બોક્સ લઇ જવાની પરમિશન નથી. તેનાથી વધારે મોટા સામાનને લઇ જવા માટે પહેલા બુકિંગ કરાવવું પડે છે. આ સામાનને લગેજ કોચમાં લઈ જઈ શકો છો. ઉપરાંત એસી 3 ટિયર અને એસી ચેર કારમાં સામાનની સાઇઝ માટે અલગ સીમા નક્કી કરવામાં આવી છે. આ કોચમાં 55 સેમીx 45 સેમીx 22.5 સેમીથી વધારે મોટી સૂટકેસ અથવા બોક્સ લઇ જઇ શકાતું નથી.
લગેજ કોચમાં નથી કોઈ નિયમ

જણાવી દઇએ કે લગેજ કોચમાં સામાન લઇ જવા માટે કોઇ પ્રકારનું બંધન હોતું નથી. તેમા તમે જરૂરીઆત અનુસાર, દરેક સામાન લઇ જઇ શકો છો. જેના માટે તમારે નક્કે કરેલું ભાડું ચુકવવું પડશે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2AMpjiU
No comments:
New comments are not allowed.