Latest

Tuesday, November 6, 2018

નરક ચતુર્દશીએ આવી રીતે કરો પૂજન થશે અનેક લાભ

કાળી ચૌદશને નરક ચૌદશ તરીકે ઓળખવામાં આવે છે

નરક ચતુર્દશીને નરક ચૌદશ અથવા નર્કા પૂજા, રૂપ ચતુર્દશી અને નાની દિવાળીના નામે પણ ઉજવવામાં આવે છે. આ પર્વ કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે આવે છે જે આ વર્ષે 6 નવેમ્બર 2018ને મંગળવારે ઉજવવામાં આવશે. વિધિ-વિધાનથી પૂજા કરનારા વ્યક્તિને તમામ પાપમાંથી મુક્તિ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

નરક ચૌદશનું ખાસ મહત્વ

કાળી ચૌદશના દિવસને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા, રાત્રે એવી જ રીતે દિવા પ્રગટાવવામાં આવે છે જેવી રીતે દિવાળીની રાત્રે ઉજવણી કરવામાં આવે છે. ખૂબ મહત્વપૂર્ણ પર્વ છે જેવી રીતે પાંચ પર્વોની શ્રૃંખલામાં મધ્યમાં રહેલો આ તહેવારને જેવી રીતે મંત્રીઓ વચ્ચે રાજા તેમ માનવામાં આવે છે.

શા માટે નરક ચતુર્દશી કહેવામાં આવે છે

માન્યતા અનુસાર આ દિવસે વહેલી સવારે તલનું તેલ લગાવીને સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ મળે છે. આ દિવસે વ્રત રાખવાનું પણ ખાસ મહત્વ છે.

આ રીતે કરો પૂજન

નરક ચતુર્દશીએ વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરો, જેનાથી મૃત્યુ બાદ યમલોક નહીં જવું પડશે. સ્નાન બાદ ઘરની બહાર તલનો દીપક પ્રગટાવવો. નરક ચૌદશની રાત્રે દીપદાનની પરંપરા છે. ઘરના સૌથી વૃદ્ધ વ્યક્તિ હાથમાં દીપક રાખીને સમગ્ર ઘરમાં ફરે છે અને ત્યાર બાદ તેને દૂર મુકો. આ દીપકને યમનો દીપક કહેવાય છે. આ દરમિયાન પરિવારના અન્ય સંભ્યો અંદર જ રહે છે. એવી માન્યતા છે કે દીપકને ઘરમાં ફેરવીને બહાર લઈ જવામાં આવે તેની સાથે તમામ નકારાત્મક શક્તિઓ પણ ઘરની બહાર જતી રહે છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2F7Bwmq

No comments:

Post a Comment

Pages