Latest

Monday, November 12, 2018

અયોધ્યા: જલ્દી સુનાવણી કરવા સુપ્રીમનો સ્પષ્ટ ઈનકાર

નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલામાં હિંદુ મહાસભાની જલ્દી સુનાવણી કરવાની અરજીને સોમવારે ઠુકરાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર જલ્દી સુનાવણીની માંગને ઠુકરાવતા કહ્યું કે, આ મામલામાં કોર્ટ પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. સુનાવણી માટે પહેલાથી જ તારીખ ફાળવી દેવામાં આવી છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી વકીલ તરૂણ સિંહાએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગાઇ અને જસ્ટિસ એસકે કૌલએ કહ્યું કે, પહેલા જ જાન્યુઆરીમાં મામલાની સુનાવણીની વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું,’અમે આ સંબંધમાં આદેશ પારિત કરી ચૂક્યા છીએ. સુનાવણી જાન્યૂઆરીમાં જ થશે.’ આ પહેલા સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં સુનાવણી માટે જાન્યુઆરીથી પહેલા અઠવાડિયાની તારીખ નક્કી કરી હતી.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, જાન્યુઆરીમાં ઉપર્યુક્ત પીઠ આ મામલાની સુનાવણી કરશે. તેમણે આ મામલા પર જલ્દી સુનાવણીની પક્ષકારોની માંગને કારિઝ કરી દીધી. પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇની નેતૃત્વવાળી ત્રણ સભ્યોની પીઠે કહ્યું કે, ઉચિત પીઠ આવતા વર્ષે જાન્યુઆરીમાં સુનાવણીની આગળની તારિખ નક્કી કરશે. પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇની નેતૃત્વવાળી પીઠે કહ્યું કે, યોગ્ય પીઠ આવતા વર્ષે જાન્યુઆરીમાં સુનાવણીની તારીખ નક્કી કરશે. પીઠના બે અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ એસકે કૌલ અને કેએમ જોસેફ સામેલ છે.

સરકાર તરફથી વકીલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટને પૂછ્યું હતું કે, આ મામલાની જાન્યુઆરીમાં ક્યારથી સુનાવણી શરૂ થશે? તેના પર પીઠે કહ્યું કે, આ તમામ નિર્ણય નવી પીઠ કરશે. કોર્ટના આ આદેશ બાદ હવે સુનાવણી ક્યારથી થશે, રોજ થશે કે નહી, આ મુદ્દા પર નવી પીઠ નિર્ણય લેશે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીરની પીઠે આદેશ કર્યો છે કે, વિવાદિત જમીનના માલિકાના હકવાળા દિવાની મામલાની સુનાવણી ત્રણ જજોની પીઠ 29 ઓક્ટોબરથી કરશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Q0vKHz

No comments:

Post a Comment

Pages