Latest

Monday, November 5, 2018

લગ્ન પછી દીપિકા રણવીરના ઘરે નહિં, રણવીર દીપિકાના ઘરે રહેવા જશે 😳

લગ્ન વિધિની શરૂઆતઃ

બોલિવુડનું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યું છે. ગયા અઠવાડિયે નંદી પૂજાથી તેમના લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ હતી. બેંગલુરુમાં દીપિકાની નંદી પૂજા બાદ બેંગલુરુમાં રણવીરની હલ્દી સેરેમની યોદાઈ હતી.

ડ્રીમ હોમ શોધી રહ્યા છેઃ

લેટેસ્ટ ઈન્ફોર્મેશન મુજબ આ કપલ હવે મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ શોધી રહ્યું છે. જો કે આ નવુ ઘર શોધવામાં અને ત્યાં શિફ્ટ થવામાં તેમને થોડો સમય લાગી શકે છે.

રણવીર દીપિકાના ઘરે રહેવા જશેઃ

સૂત્રોના જણાવ્યા મુજબ, “આ પાવર કપલ માટે ઘર શોધવુ આસાન નથી. તે ઈચ્છે છે કે ઘર સંપૂર્ણરીતે તૈયાર થઈ જાય પછી જ તે તેમાં રહેવા જાય. રણવીર નથી ઈચ્છો કે દીપિકા વર્લીનું તેનું આલીશાન ઘર છોડીને બીજે ક્યાંય રહેવા જાય. આથી લગ્ન પછી તે દીપિકાના ઘરે રહેવા જશે. આ ગાળામાં તેઓ સાથે મળીને પોતાનું નવુ ઘર બનાવશે. ”

ઘર માટે બજેટ છે 70 કરોડઃ

સૂત્રોના જણાવ્યા મુજબ દીપવીર શાહરૂખના બંગલા મન્નતની લાઈનમાં નવુ ઘર શોધી રહ્યા છે જેની કિંમત અંદાજે 70 કરોડની આસપાસ હોવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખૂબ જ સ્માર્ટ નિર્ણય છે કારણ કે દીપિકા વર્લીના ઘરે એકલી જ રહે છે અને રણવીર નથી ઈચ્છતો કે જે ઘર તેણે આટલી મહેનતથી બનાવ્યું તે છોડીને દીપિકા તેના ઘરે રહેવા આવી જાય..

બે રિસેપ્શન રાખશેઃ

ઉલ્લેખનીય છે કે લગ્ન પછી કપલ બે રિસેપ્શન રાખશે. એક બેંગલુરુમાં હશે અને બીજુ મુંબઈમાં. રણવીર અને દીપિકા ટૂંક જ સમયમાં ઈટલીમાં તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે લગ્નની વિધિ માટે પહોંચશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2F1auNy

No comments:

Post a Comment

Pages