Latest

Sunday, November 11, 2018

ઇક્વિટી વળતરનો અંદાજ કેવી રીતે મૂકવો

66509938

તારા ઇક્વિટી ફંડ્સમાં સિસ્ટેમેટિક રોકાણકાર છે. તે સારી કમાણી કરે છે અને સિંગલ છે. તેણે નિયમિત રીતે રોકાણ કરવા એસઆઇપી રૂટ અપનાવ્યો છે. તેની પાસે કોઈપણ પ્રકારના નાણાકીય ધ્યેય ન હોવાથી તે તેના નાણાની વૃદ્ધિ સારી રીતે થાય તે સુનિશ્ચિત કરવા માંગે છે. હવે તેને રોકાણના વળતર અંગે ચિંતા છે અને તે જાણવા માંગે છે કે તે કેવી રીતે તેના રોકાણની સમીક્ષા કરે. પહેલા તો તારાએ તેના કરેલા રોકાણ પર ભવિષ્યમાં કેટલું વળતર મળશે તે સુનિશ્ચિત કરવું જોઈએ અને તેનો ફક્ત અંદાજ જ મૂકી શકાય.

રોકાણના વિશ્વમાં ગેરંટી જેવું કશું નથી. હવે જો તે રોકાણનું સંરક્ષણ કરવા ઇચ્છતી હોય તો તેનું ધ્યાન તેના દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ પર જ હોવું જોઈએ જે તેણે રોકાણ માટે ઇક્વિટી ફંડ્સની પસંદગી કરતી વખતે ઉપયોગમાં લીધી છે. તેની સાથે તેણે રોકાણનો સમયગાળો ધ્યાનમાં લેવો જોઈએ.

તારા વળતરનો અંદાજ કેવી રીતે મૂકી શકે. તેના માટેની સૌથી સરળ બાબત હિસ્ટોરિકલ રિટર્ન અને તેની અપેક્ષાઓ વચ્ચેની તુલના કરવાની છે. તે સમજવું મહત્વનું છે કે ઇક્વિટી પર કેટલું વળતર મળવું જોઈએ. ઇક્વિટીનું ઊંચું વળતર મેળવવાની સંભાવના ધિરાણ લીધેલા ફંડ્સનો કારોબારમાં ઉપયોગ કરવા પર, એસેટ્સમાં રોકાણ કરવા પર અને ઊંચું વળતર મેળવવા પર છે.

કારોબારમાં વૃદ્ધિ દેશની જીડીપી વૃદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. હવે જો ભારત 7થી 8 ટકાની વૃદ્ધિ દર્શાવે અને ફુગાવો છથી સાત ટકાની રેન્જમાં હોય તો દેશનો જીડીપી સામાન્ય સંદર્ભમાં 14થી 15 ટકાના દરે વૃદ્ધિ પામવો જોઈએ.

તારા હવે આ વાતને ભારતના સંદર્ભમાં જુએ છે અને ભારતમાં ભવિષ્યમાં ઇક્વિટીમાં સરેરાશ વળતર 14થી 16 ટકા રહેવાની સંભાવના છે. ભવિષ્યમાં ફુગાવો કે વૃદ્ધિ ઘટે તો આ દર પણ ઘટશે. ધંધાકીય જોખમને ઇક્વિટી રોકાણ પરના પ્રીમિયમ દ્વારા સેટ ઓફ કરી શકાય છે. આ બાબત સમજાવે છે કે ઇક્વિટી રોકાણ પર લાંબા ગાળાનું વળતર ફુગાવાના આંકડાને પાછળ છોડી જાય છે.

તારાએ તે આશા ન રાખવી જોઈએ કે દરેક વર્ષે સ્થિર દરે વળતર મળે, તેમા ઉતારચઢાવ જોવા મળે, જેના લીધે તેને સમય વીતવાની સાથે સરેરાશ વળતર મળે. હવે જો તેનું રોકાણ વૈવિધ્યકૃત હોય અને તે ઇક્વિટી શેરોનું બાસ્કેટ ધરાવતી હોય અને સાતત્યસભર ધોરણે રોકાણ કરતી હોય તો તે લાંબા ગાળે બજારની સાઇકલમાં લાંબા ગાળાની સરેરાશનું વળતર મેળવે તેવી સંભાવના વધારે છે. તેની રોકાણ પ્રક્રિયા જોખમમાં ઘટાડા મુજબ ડિઝાઇન કરેલી હોય તો તે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને સારું વળતર મેળવી શકે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2RPNa6U

No comments:

Post a Comment

Pages