Latest

Tuesday, November 13, 2018

ગુજરાત રમખાણ : PM મોદી વિરુદ્ધ ઝકિયા ઝાફરીની અરજી સુનવણી માટે સુપ્રીમ તૈયાર

ગુજરાત રમખાણ કેસમાં 19મીએ સુપ્રીમમાં સુનવણી


નવી દિલ્હી: 2002ના ગુજરાત કોમી રમખાણ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજકારણીઓ તથા અધિકારીઓને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિન ચિટ પડકારતી અરજી પર સુનવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝકિયા ઝાફરીએ આ મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. રિપોર્ટ અનુસાર, સુપ્રીમ આ કેસમાં 19 નવેમ્બરે સુનવણી કરશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી અરજી


ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટે જાફરીની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે 2002ના કોમી રમખાણોના સંબંધમાં તત્કાલીન મુખ્યમંત્રી તથા અન્યોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લિન ચિટને યથાવત રાખવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, ગુજરાત રમખાણ મુદ્દે ફરીવાર તપાસ નહીં કરે.

PM મોદી સહિત 59 લોકો પર આરોપ


ઝકિયા જાફરીની મોટા ષડયંત્રવાળી વાતને પણ કોર્ટે માનવાની ના પાડી દીધી હતી. જજ સોનિયા ગોકાણીની સામે આ અરજી પર 3 જુલાઈ 2017ના રોજ સુનવણી ખતમ થઈ હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે, મોદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત અન્ય 59 લોકોને આ ષડયંત્રમાં કથિતપણે શામેલ હોવા માટે આરોપી બનાવવામાં આવે. અરજીમાં આ મુદ્દે નવેસરથી તપાસ માટે હાઈકોર્ટના નિર્દેશની પણ માંગણી કરવામાં આવી હતી. ગુજરાત રમખાણ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી નરેન્દ્ર મોદીને ડિસેમ્બર 2013માં ક્લીન ચિટ મળી ગઈ હતી.

ગુલબર્ગ કાંડમાં 68ની હત્યા


28 ફેબ્રુઆરી, 2002ના રોજ કોંગ્રેસ સાંદસ એહસાન જાફરી સહિત ઓછામાં ઓછા 68 લોકો અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયા હતા. માર્ચ 2008માં સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત SIT દ્વારા જાફરીના આરોપોની તપાસ કરવામાં આવી હતી. SITએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની 9 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેમને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

ક્લીન ચિટ આપ્યા બાદ SITનું નિવેદન


PM મોદી અને અન્ય 59 લોકોને ક્લિન ચિટ આપ્યા બાદ SITએ કહ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ દાવો માંડવાના કોઈ ચોક્કસ પૂરાવા નથી અને જેના પગલે તપાસ બંધ કરવામાં આવી હતી. જાફરીના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે, નિચલી કોર્ટને સુપ્રીમના દિશાનિર્દેશોને નજરઅંદાજ કર્યા અને પૂરાવાઓના હસ્તાક્ષર કરવામાં આવેલા વક્તવ્યો પર વિચાર કરવામાં નથી આવ્યા.


No comments:

Post a Comment

Pages