Latest

Monday, December 31, 2018

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

મૃણાલ સેનનું 95 વર્ષની વયે નિધન

દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ફિલ્મમેકર મૃણાલ સેન (14 મે 1923થી 30 ડિસેમ્બર 2018)નું આજે 95 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. મૃણાલ સેને કોલકાતાના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણી ગંભીર બીમારીઓથી તેઓ પીડાતા હતા. મૃણાલ સેનની ફિલ્મોને અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. આ સિવાય મૃણાલ સેન પર પણ અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બની ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃણાલ સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

તેમની ફિલ્મોને અનેક નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે

મૃણાલ સેન ભારતીય ફિલ્મોના પ્રસિધ્ધ નિર્માતા અને નિર્દેશક હતા, તેમણે મોટાભાગની ફિલ્મો બંગાળી ભાષામાં બનાવી છે. મૃણાલ સેને વર્ષ 1955માં તેમની પ્રથમ ફીચર ફિલ્મ રાતભોર બનાવી હતી. ત્યારબાદ તેમણે નીલ આકાશેર નીચે નામની એક ફિલ્મ બનાવી તે જેનાથી તેઓને એક સ્થાપિત ફિલ્મમેકર તરીકેની ઓળખ પ્રાપ્ત થઈ. એક એવો પણ સમય હતો કે જ્યારે દરેક મોટો અભિનેતા મૃણાલ સેનની સાથે કામ કરવા માગતો હતો. મૃણાલ સેનની કુલ 4 ફિલ્મ ભુવન શોમ, કોરસ, મૃગ્યા અને અકાલેર સંધાને બેસ્ટ ફીચર ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.

‘ભુવન શોમ’ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું

મૃણાલ સેનની ફિલ્મ ભુવન શોમથી ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ મૃણાલ સેને જે કોઈપણ ફિલ્મ બનાવી તે રાજનીતિથી પ્રેરિત હતી જેના કારણે તેઓને માર્ક્સવાદી કલાકાર પણ ગણાવવામાં આવ્યા હતા. મૃણાલ સેને વર્ષ 1977માં મિથુન ચક્રવર્તીને લઈને મૃગ્યા નામની ફિલ્મ બનાવી હતી, આ ફિલ્મ માટે મિથુન ચક્રવર્તીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. મૃણાલ સેને વર્ષ 1969માં ભુવન શોમ નામની ફિલ્મ બનાવી હતી, આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2EWSRNa

No comments:

Post a Comment

Pages