Latest

Sunday, December 2, 2018

… તો જમ્મુ-કાશ્મીરનું સ્થાયી નાગરિક બનવું થઈ જશે સરળ

પબ્લિક રેસિડેન્ટ સર્ટિફિકેટની પ્રક્રિયા સરળ બનાવવા માટે વિચાર

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર પ્રશાસન પબ્લિક રેસિડેન્ટ સર્ટિફિકેટ (પીઆરસી) આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિચાર કરી રહી છે અને જનસેવા ગેરંટી અધિનિયમ હેઠળ પીઆરસી જાહેર કરવા માટે સમયસીમા નક્કી કરવી જોઈએ. પૂર્વ ઉપમુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ કહ્યું કે જો આ લાગૂ પડશે તો તેને સારું પગલું ગણવામાં આવશે. સાથે જ પીઆરસીને ઓનલાઈન જાહેર કરવાની વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં જન્મ અથવા મૃત્યુ પ્રમાણ, લગ્ન પંજીકરણ પ્રમાણપત્ર સહિત અન્ય પ્રમાણપત્ર સંબંધિત જિલ્લા અધિકારી કાર્યાલયથી ઓનલાઈન જાહેર થાય છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જરૂરી દસ્તાવેજોને આવેદક પોર્ટલ પર અપલોડ કરી શકે છે

તેમણે વધુમાં જણાવ્યું કે પીઆરસી મેળવવા માટે જરૂરી દસ્તાવેજોને આવેદક પોર્ટલ પર અપલોડ કરી શકે છે. આ સિવાય તેને રાજસ્વ વિભાગની સાથે જોડી શકાય છે. ગુપ્તાએ આગળ જણાવ્યું કે પીઆરસીને જાહેર કરવાને લઈને તેને આધાર સંખ્યા અને આંગળીઓના નિશાન સાથે પણ જોડી શકાય છે. તેમણે કહ્યું કે પીઆરસી જાહેર કરવાની જૂની વ્યવસ્થામાં વ્યાપક ભ્રષ્ટાચારને આ નવી પ્રક્રિયા થકી રોકી શકાય છે.

સુપ્રીમ કોર્ટ 35એને પડકારતી પિટિશન પર સુનાવણી કરી રહી છે

અહીં ઉલ્લેખનીય છે કે સંવિધાનના અનુચ્છેદ 35એ જમ્મૂ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના સ્થાયી નાગરિકને વ્યાખ્યાયિત કરવાની શક્તિ આપે છે, જેને વિશેષાધિકાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટ 35એને પડકાર આપતી ઘણી પિટીશન પર સુનાવણી કરી રહી છે. જેને જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370 દ્વારા 1954માં રાષ્ટ્રપતિના આદેશ સાથે જોડવામાં આવ્યો હતો.

સજ્જાદ લોને પ્રશાસન વિરુધ્ધ નારાજગી દર્શાવતી ટ્વિટ કરી

પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને પણ પ્રશાસન વિરુધ્ધ નારાજગી દર્શાવી છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે પીઆરસી અથવા જેકે બેન્ક સંબંધિત કોઈપણ બદલાવનો સ્વીકાર નહીં કરવામાં આવે. પોતાની ઊર્જાને પોતાની જવાબદારી સુધી જ સિમિત રાખવી જોઈએ. જે તમે નથી કરી રહ્યા. મહેરબાની કરીને નવી સમસ્યાઓ ઊભી કરો નહી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2AEGP76

No comments:

Post a Comment

Pages