આજે ઓમ પુરીની પુણ્યતિથિ છે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમ પુરીની આજે પુણ્યતિથિ છે. તેમનું તારીખ 6 જાન્યુઆરી 2017ના રોજ મૃત્યુ થયું હતું. તેઓ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને સાથે-સાથે તેમણે ઈન્ટરનેશનલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આર્ટ ફિલ્મોમાં અભિનયની સાથે સિનેમાની સફર શરૂ કરનાર ઓમ પુરીનું સિનેમા જગતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ઓમ પુરીના પત્ની નંદિતા પુરીએ એક પુસ્તક લખ્યું હતું કે જેમાં ઓમ પુરીના અંગત જીવનના અનેક કિસ્સાઓનો ખુલાસો કર્યો હતો. આ પુસ્તકને લઈને અનેક વિવાદો થયા હતા, કે જેના કારણે ઓમ પુરી નારાજ પણ થયા હતા.
14 વર્ષની ઉંમરમાં નોકરાણીની સાથે હતા સંબંધ

ઓમ પુરીએ વર્ષ 1993માં નંદિતા પુરીની સાથે લગ્ન કર્યા હતા, અને થોડાં વર્ષો પહેલા નંદિતા પુરીએ ઓમ પુરીના જીવન આધારિત એક પુસ્તક પણ લખ્યું હતું. Unlikely Hero: The Story Of Om Puri નામના આ પુસ્તકમાં નંદિતા પુરીએ લખ્યું હતું કે ઓમ પુરી જ્યારે માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમણે ઘરની નોકરાણી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ સિવાય વધુ એક નોકરાણીની સાથે પણ ઓમ પુરીના શારીરિક સંબંધો હતા.
ઓમ પુરીને મોટી ઉંમરની મહિલાઓ પસંદ હતી

આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ઓમ પુરી ઘણાં નારાજ જોવા મળ્યા હતા અને એક ઈન્ટરવ્યૂમાં ઓમ પુરીએ કહ્યું હતું કે આવી અનેક વાતો તેમની પત્ની નંદિતા પુરીએ આ પુસ્તકમાં એટલા માટે લખી હતી કારણકે એ તેમની પત્ની હતી. નંદિતા પુરીએ આ પુસ્તકમાં એવું પણ લખ્યું હતું કે ઓમ પુરીને બાળપણથી જ મોટી ઉંમરની મહિલાઓ પસંદ હતી, અને તેમણે પ્રથમ વખત 55 વર્ષની નોકરાણીની સાથે સંબંધ બાંધ્યા હતા.
છોકરીઓને આ રીતે પટાવતા હતા ઓમ પુરી

બોલિવૂડ એક્ટર ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ એકસાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નાટ્યનો અભ્યાસ કરતા હતા. એક ટીવી શોમાં નસીરુદ્દીન શાહે જણાવ્યું હતું કે તેઓ કોલેજમાં હતા ત્યારે ફૂલ આપીને છોકરીઓને પટાવવાના પ્રયાસો કરતા હતા. પરંતુ, ઓમ પુરીએ એવું જણાવ્યું હતું કે તેમનું અંગ્રેજી સારું નહોતું માટે તેઓને આ પ્રકારના નુસખા અપનાવવા પડતા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2CUhEQr
No comments:
Post a Comment