આટલા નાના પાયે કરી હતી શરૂઆતઃ

રાકેશ ઝુનઝુનવાલા શેર માર્કેટના એક એવા કિંગ છે જે પેની સ્ટોકમાંથી પણ મબલખ કમાણી કરી શકે છે. તેમણે શેરબજારમાં 5000 રૂપિયાથી રોકાણ કરવાની શરૂઆત કરી હતી અને આજે તે અબજોપતિ છે. ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અત્યારે શેરમાર્કેટ જે ઉતાર ચડાવમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે રોકાણકારોએ શું કરવું જોઈએ તેની ટિપ્સ આપી હતી.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
પૈસા પણ ગુમાવ્યા છેઃ

તેમણે જણાવ્યું- “ટ્રેડિંગ લે ફટાફટ, દે ફટાફટ, મારો ઓર ભાગો જેવું હોય છે. જો મને ચોઈસ મળે તો હું માત્ર ટ્રેડિંગ કરીને જ મારી બધી કમાણી કરવાનું પસંદ કરીશ, પણ એ શક્ય નથી. તમે પૈસા ગુમાવી પણ શકો છો. મેં પણ ઘણી વાર પૈસા ગુમાવ્યા છે પણ ટ્રેડિંગ ચાલુ રાખ્યુ છે.”બજારના ચડાવ-ઉતારથી ટેવાઈ ગયેલા ઝુનઝુનવાલાએ જણાવ્યું, “મેં ટૂંકાગાળામાં વેચાણ કરીને સૌથી વધુ કમાણી 1992 દરમિયાન કરી.” તેમની સફળતાની સિક્રેટ જ એ છે કે તે હંમેશા બુલિશ રહ્યા છે. તે માને છે કે 98 ટકા લોકો બુલ બનીને જ તમે શેરમાર્કેટમાં રૂપિયા કમાય છે.
પોઝિટિવ એટિટ્યુડ રાખવા સલાહઃ

તેમણે ટ્રેડર્સને હંમેશા પોઝિટિવ અભિગમ રાખવાની સલાહ આપી હતી. ઝુનઝુનવાલાએ જણાવ્યું કે ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે કરવું એ વાઈફ અને ગર્લફ્રેન્ડ સાથે રાખવા જેવું છે. જો તમે બંને મેનેજ કરી શકતા હોવ તો તમે ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ પણ સાથે મેનેજ કરી શકશો.
સક્સેસ સિક્રેટઃ

જીવન વિષેના પદાર્થ પાઠ આપતા ઝુનઝુનવાલાએ જણાવ્યું કે તમારી પત્ની અથવા તો માર્કેટ સાથે ક્યારેય દલીલ ન કરવી. તમારા બાળકના રિએક્શન કરતા માર્કેટની ગતિવિધિને પ્રેડિક્ટ કરવી આસાન છે. અને સફળતા મળે ત્યારે ક્યારેય છકી ન જવું. તમારા મૂળિયા યાદ રાખો. તમે જે નથી તે દર્શાવવાની કોશિશ ન કરો.
સારા સમયમાં મોટી ભૂલ થાય છેઃ

ઝુનઝુનવાલા જણાવે છે કે સમય સારો ચાલતો હોય ત્યારે જ માણસ ખરાબમાં ખરાબ ભૂલ કરે છે. જો હું હર્ષદ મહેતાના ટાઈમમાં 50 કરોડ કમાઈ શક્યો હોય તો હું દર વર્ષે એવી કમાણી કરી જ શકું છું. જો સફળતા આવે તો છકી ન જાવ પણ તેના પર નજર રાખવાનું ચાલુ કરી દો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2CWd9F1
No comments:
Post a Comment