હેરાફેરી ફિલ્મ

દર્શકોને હસાવી હસાવીને થકાવી નાખનારી ફિલ્મ હેરાફેરીને લઈને એક મહત્વના સમચાર સામે આવ્યા છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ હેરાફેરીના ફેન્સ માટે સારી ખબર છે. લાંબા સમય પછી ફિલ્મના ત્રીજો પાર્ટ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર આવી જશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ત્રીજા ભાગ પર કામ શરુ

જણાવી દઈએ કે આ પહેલા અમારા સહયોગી મુંબઈ મિરરે મે 2018માં જણાવ્યું હતું કે, પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા હેરાફેરી ફ્રેન્ચાઈઝી પર ફરી કામ કરવા જઈ રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે ત્રીજા ભાગમાં પણ ઓરિજિનલ કાસ્ટ હોય અને તેનું ડિરેક્શન ઈન્દ્ર કુમાર કરે.
ટીમ કરી રહી છે કામ

આ ખબર સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, હાલમાં ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. ઈન્દ્ર કુમાર પોતાના રાઈટર્સની ટીમ સાથે પાછલા એક વર્ષથી કામ કરી રહ્યા છે અને ફર્ટ્સ હાફને લોક કરી દેવાયો છે. બીજા હાફમાં થોડું કામ બાકી છે. ફિલ્મ ટોટલ ધમાલની રીલિઝ પછી આ કામ શરુ કરાશે.
કેટલીક અડચણોના લીધે મોડું થયું

સૂત્રોએ આગળ જણાવ્યું કે, પહેલા પ્લાન હતો કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ ફ્લોર પર લાવવામાં આવે પણ સ્ટોરીમાં ઈશ્યુના કારણે મોડું થઈ ગયું. કારણ કે હેરાફેરી આઈકોન ફ્રેન્ચાઈઝ છે, માટે ટીમ ઉતાવળ નથી કરી રહી. તમામ આ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે અને કોઈ સ્ક્રિપ્ટ સાથે સમાધાન કરવા નથી માગતું.
ફિરોઝ અને અક્ષયના સંબંધો

રિપોર્ટ્સનું માનીએ તો ફિરોઝ સાથે અનબનના કારણે અક્ષયે આ પ્રોજેક્ટ છોડવાનું નક્કી કર્યું હતું, હવે બન્ને વચ્ચે ફરી સુલેહ થઈ છે અને સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. અક્ષયના કમબેક પર એવી ચર્ચા હતી કે ફિલ્મ બંધ થઈ ગઈ છે કારણ કે, પ્રોડ્યુસરને ફાઈનાન્સ પ્રોબલેમ છે, પણ હવે કહેવાય છે કે ફિલ્મ ફરી ટ્રેક પર આવી ગઈ છે અને બધું બરાબર છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UtA5S1
No comments:
Post a Comment