Latest

Friday, March 29, 2019

આજે બેંગ્લોરમાં RCB વિરુદ્ધ MI, કોહલી અને રોહિતમાં કોઈ મારશે મેદાન?

ભારતીય ટીમના કેપ્ટન-વાઈસ કેપ્ટન વચ્ચે જંગ

બેંગલુરુ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરનારી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. આ મહત્વની મેચ માટે મુંબઈની ટીમમાં અનુભવી બોલર લસિથ મલિંગનું કમબેક થયું છે. શ્રીલંકા ક્રિકેટે તાજેતરમાં જ કહ્યું હતું કે, વર્લ્ડકપમાં રમવા માટે શ્રીલંકન ખેલાડીઓએ પોતાના ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રમવું પડશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મલિંગાના કમબેકથી મુંબઈ મજબૂત

ત્યારબાદ મલિંગાએ મુંબઈ માટે શરૂઆતી છ મેચોમાંથી હટવાનો નિર્ણય લીધો હતો પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકન બોર્ડને આગ્રહ કર્યો હતો કે, તે મલિંગાને મુંબઈ માટે શક્ય તેટલું રમવાની પરવાનગી આપે અને હવે શ્રીલંકન બોર્ડ BCCIની આ રજૂઆત સ્વીકારી લીધી છે. મુંબઈને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 37 રનથી હાર સહન કરવી પડી હતી.

વિરાટ વિરુદ્ધ બુમરાહ

દુનિયાના સર્વશ્રેષ્ઠ વન-ડે બેટ્સમેન વિરાટ કોહલી અને સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સામ-સામે હશે અને બધાની નજર આ બંને વચ્ચે થનારી જંગ પર ટકેલી હશે. બુમરાહ ઈજાને કારણે પેદા થયેલી ચિંતામાંથી બહાર આવી પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. ગત મેચમાં તેને ખભામાં ઈજા થઈ હતી પણ હવે તે ફિટ છે.

યુવરાજ સિંહ પણ ફોર્મમાં

ઉલ્લેખનીય છે કે, ગત મેચમાં યુવરાજ સિંહે શાનદાર 53 રનની ઈનિંગ રમી હતી અને ટીમ ઈચ્છશે કે, તે આ પ્રદર્શનને જાળવી રાખે. મધ્યમ ક્રમમાં યુવરાજના પ્રદર્શનથી મેચની આખી પરિસ્થિતિ બદલાઈ શકે છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

RCB માટે પ્રથમ મેચ કપરી રહી

બીજી તરફ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સામે માત્ર 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, વિરાટની ટીમ આ વાતને ભૂલાવી આજની મેચ પર ફોકસ કરવા માગશે. RCB પાસે કેપ્ટન વિરાટ કોહલી, એબી ડિ વિલિયર્સ, કૉલિન ડી ગ્રાન્ડહોમ, નાથન-કુલ્ટર નાઈલ જેવા મોટા નામ છે જે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકવા સક્ષમ છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2JPKiYD

No comments:

Post a Comment

Pages