ક્યા પુરાણની વાત છે આ?
પુરાણોમાં શિવ શંકર ભગવાન વિશે અનેક વખત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત બીજા પુરાણો કરતા તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં શિવજીના વિવિધ રુપ, અવતાર, જ્યોતિર્લિંગ, ભક્તો અને ભક્તિનું વર્ણન આપવામાં આવ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઝડપથી પ્રસન્ન થતા દેવ

તમામ પુરાણોમાં શિવને ત્યાગ, તપસ્યા, વાત્સલ્ય તથા કરુણામૂર્તિ દર્શાવવામાં આવ્યા છે. એવું પણ કહેવાય છે કે, શિવ ઝડપથી પ્રસન્ન થતા દેવા પૈકી એક છે. આ સિવાય તે મનપસંદ ફળ આપનારા છે. શિવપુરાણમાં શિવજીના જીવનચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં સંસાર, વિવાહ અને પુત્રની ઉત્પતીની વાતનો સમાવેશ થાય છે. શિવમહાપુરાણમાં 12 સ્કંઘ છે. જેના દરેક સ્કંધમાં શિવજીના જુદા જુદા રૂપ અને તે રુપનો મહિમા દર્શાવાયો છે. આ પુરાણમાં કુલ 24000 શ્લોક છે તથા ક્રમશઃ6 ખંડ છે.
ક્યા ક્યા છ ખંડ

વિશ્વેસર સંહિતા, રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાશ સંહિતા, વાયુ સંહિતા આ છ સંહિતા છે. પહેલા સ્કંઘમાં શિવમહાપુરાણની મહિમાનું વર્ણન છે. બીજા સ્કંઘમાં શિવના પ્રકાર અને પૂજાનું વર્ણન છે. ત્રીજા સ્કંધમાં પાર્વતીની કથાનું વર્ણન છે. ચોથા સ્કંધમાં ભગવાન કાર્તિકેયની કથાનું વર્ણન છે. પાંચમા સ્કંધમાં શિવજીએ કરેલા ત્રિપુરાસુરના વધની કથા છે. છઠ્ઠા સ્કંધમાં શતરુદ્રસંહિતામાં શિવના અવતારો અને શિવની પ્રતિમાની કથા છે. સાતમા સ્કંધમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. આઠમાં સ્કંધમાં મૃત્યું અને નરકનું વર્ણન છે. નવમાં સ્કંધમાં શિવના અર્ધનારેશ્વર રુપનું વર્ણન છે. દસમા સ્કંધમાં શિવની વિભૂતીઓનું વર્ણન છે.
શરુઆતમાં લાભ અને વિશેષતાઓ

કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરે તે પહેલાં તેનાથી શું લાભ થવાનો છે તેના વિશે વિચારે છે. આ પુરાણની શરુઆતમાં જ તેના મહિમાં અને લાભ અંગે વાત કરવામાં આવી છે. આ પુરાણ વાંચવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. અજાણતા કોઈ પાપ થયું હોય તો તેની મુક્તિ પણ આ પુરાણ વાંચવાથી થાય છે. આ પુરાણ વાંચવાથી મૃત્યુ બાદ શિવજીના ગણ વ્યક્તિને લેવા માટે આવે છે. શ્રાવણ મહિનામાં શિવપુરાણ વાંચવાથી અનેક લાભ થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2W9SNzg
No comments:
Post a Comment