Latest

Wednesday, April 17, 2019

બેસ્ટ ફ્રેન્ડ કરીના સામે છલક્યું મલાઈકાનું દર્દ, આ કારણે અરબાઝથી અલગ થઈ

ચારે તરફ છે મલાઈકા-અર્જુનના અફેરની ચર્ચા

મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપૂર સાથે પોતાના સંબંધોને કારણે ખૂબ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે અને આના કારણે જ મલાઈકા અને અરબાઝ વચ્ચે અંતર વધી ગયું હતું. મલાઈકા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર સાથે અરબાઝ અને તેના રિલેશનશિપ અંગે વાત કરતા કહ્યું કે, તે બંને એકબીજાથી ખુશ નહોતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મલાઈકાએ કરીના સાથે શેર કર્યું પોતાનું દુ:ખ

મલાઈકાએ કરીના કપૂર સાથે તેના રેડિયો શો ‘વૉટ વુમન વૉન્ટ’માં પોતાના દિલની વાત કરી હતી. મલાઈકાએ કરીનાને જણાવ્યું હતું કે, તેની ફેમિલી તેને ખૂબ સપોર્ટ કરે છે. ડિવૉર્સ વખતે પણ ફેમિલીએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. મલાઈકાએ એમ પણ કહ્યું હતું કે, બાળકોનો ઉછેર સારા વાતાવરણમાં થવો જોઈએ.

‘અમારી આજુબાજુ બધુ ખરાબ થઈ રહ્યું હતું’

પોતાના ‘અનહેપ્પી’ રિલેશન અંગે મલાઈકાએ કહ્યું હતું કે, આ પ્રકારના રિલેશનથી તેની આજુબાજુની ચીજવસ્તુઓ ખરાબ થઈ રહી હતી. તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘આ સિચુએશનમાં અમે બે જ માણસ હતા. અમે એકબીજાને ખૂબ નાખુશ કરી રહ્યાં હતા. આ અમારી આસપાસ જે પણ હતું તે બધાના પર અસર કરી રહ્યું હતું.’

18થી 22 એપ્રિલ વચ્ચે લગ્ન કરશે મલાઈકા-અર્જુન

જણાવી દઈએ કે, હાલમાં મલાઈકા અને અર્જુનના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સ વચ્ચે ગોસિપ થઈ રહી છે કે, આ બંને 18થી 22 એપ્રિલની વચ્ચે ગોવામાં લગ્ન કરી શકે છે. બંનેને અવારનવાર લંચ-ડિનર ડેટ માટે એકસાથે જોવામાં આવે છે. એટલું જ નહીં તેઓ એકબીજા સાથે વેકેશન મનાવવા પણ જાય છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2GtAXSE

No comments:

Post a Comment

Pages