Latest

Tuesday, April 23, 2019

દીકરા નરેન્દ્રને આશીર્વાદ આપ્યા બાદ, હીરાબાએ પોતાની ફરજ પૂરી કરી

હીરાબાએ ફરજ પૂરી કરી

ગાંધીનગરઃ સવારમાં મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માતા હીરાબાએ આશીર્વાદ આપ્યા આ પછી તેમણે પોતાની ફરજ પૂરી કરી. આ તરફ હીરાબાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રાજભવનથી સીધા પોતાના માતાને મળવા અને તેમના આશીર્વાદ લેવા માટે રાયસણ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાનને આશીર્વાદની સાથે શુકનની માતાજીની ચૂંદડી સાથે 500 રુપિયા અને નારિયેળ પણ આપ્યું હતું.

રાયસણથી કર્યું મતદાન

હીરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ રાયસણથી કર્યો છે. રાયસણ ગાંધીનગરને અડીને આવેલું છે. હીરાબાની ઉંમર 98 વર્ષ છે છતાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્વની ફરજ નીભાવી છે.

દીકરા સાથે ગયા મતદાન મથક

હીરાબાને મતદાન મથક સુધી લઈ જવામાં તેમના દીકરા પંકજ મોદી તેમની સાથે હતા. તેઓ હાલ તેમના આ દીકરા સાથે જ રહે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજકીય કે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે વડાપ્રધાન મોદી તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે જાય છે. હીરાબા પણ દીકરો કુશળ રીતે પ્રગતિ કરે તે માટેના આશીર્વાદ આપે છે.

98 વર્ષે પણ ફરજ નથી ભૂલતા

દેશની પ્રગતિમાં ભાગીદાર બન્યા

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2IxRqHq

No comments:

Post a Comment

Pages