Latest

Thursday, April 18, 2019

અમરેલીમાં મોદી બોલ્યા, ‘મને છવ્વીસે છવ્વીસ બેઠકો તમારી પાસે માગવાનો હક્ક છે’

અમરેલી: ગઈકાલથી ગુજરાતમાં મેરેથોન પ્રચાર કરી રહેલા પીએમ મોદીએ આજે અમરેલીમાં પોતાની ચૂંટણી સભા સંબોધી હતી. કોંગ્રેસનો ગઢ મનાતા અમરેલીમાં પીએમે આ જિલ્લાને સૌથી સ્પર્શતો હોય તેવો પાણીનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પીએમે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમનું નિર્માણ કામ રોકવાનું કોઈએ કર્યું હોય તો તે કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું.

હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો

કોંગ્રેસ પર પ્રહારો કરતા પીએમે કહ્યું હતું કે, જો સરદાર સરોવર યોજના 40 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગઈ હોત તો સ્થિતિ અલગ જ હોત. પોતે પીએમ બન્યાના બે જ સપ્તાહમાં સરદાર સરોવરની ફાઈલ ક્લીયર કરી દીધી હોવાનું પણ પીએમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજકારણના પાપે ગુજરાત તરસ્યું રહી ગયું,

પીએમે અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને પણ નામ લીધા વિના આડે હાથે લીધા હતા. પીએમે જણાવ્યું હતું કે, રોજના દસથી 12 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. તેને દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યુમાં સ્થાન મળ્યું છે, પરંતુ કોંગ્રેસે તેના પર પણ રાજનીતિ કરવામાં બાકી નથી રાખ્યું.

કાશ્મીરના મુદ્દાને ઉઠાવતા પીએમે જણાવ્યું હતું કે, અમે કાશ્મીરની સમસ્યા નથી સર્જી, અમને તો તે મળી છે, અને હું તેની સામે લડી રહ્યો છું. પીએમે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં 75 ટકા મતદાન થયું, જ્યારે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં અનેક લોકોના મોત થયા.

પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે બોલતા પીએમે કહ્યું હતું કે, આ ઘટના પછી કોંગ્રેસને લાગતું હતું કે મોદીનો સમય હવે પતી ગયો છે, અને તેઓ મને હરાવવા મિટિંગ કરતા હતા. જોકે, પાકિસ્તાનની આર્મી જાણતી હતી કે ભારત આ હુમલાનો બદલો લેશે. આ દરમિયાન હું સાઉથ કોરિયા ગયો અને તેમને લાગ્યું કે ભારત કશુંય નહીં કરે, પરંતુ તેમને ખબર નથી કે મોદી કોણ છે.

એક સમયે 400 બેઠકો જીતનારી કોંગ્રેસ 2014માં 40 બેઠકો પર આવી ગઈ હતી, અને 2019માં તે આઝાદી પછી સૌથી ઓછી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. શું આ પક્ષ સરકાર બનાવી શકે? તેમના હાથમાં દેશ ન આપી શકાય. યુપીએ સરકારમાં ગરીબો માટે 25 લાખ ઘરો બન્યા, પરંતુ મારી સરકારે 1.5 કરોડ ઘર માત્ર પાંચ વર્ષમાં બનાવી દીધા. અમારી સરકાર દર વર્ષે 12 કરોડ ખેડૂતોના ખાતામાં 75,000 કરોડ જમા કરાવે છે, અને ફરી સરકાર બનશે તો દરેક ખેડૂતને તેનો લાભ અપાશે તેમ પણ પીએમે જણાવ્યું હતું.



from I Am Gujarat http://bit.ly/2KWfZQC

No comments:

Post a Comment

Pages