Latest

Monday, April 8, 2019

ચૂંટણીના ચક્કરમાં જ્વેલર્સ પીસાયા, હેરાનગતિ વધી



68775562

સુતનુકા ઘોસાલ

કોલકાતા:દેશના જ્વેલર્સની ફરિયાદ છે કે 10 માર્ચથી દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ સત્તાવાળાઓ દ્વારા તેમની કનડગત કરવામાં આવી રહી છે. તેમણે આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર તથા રાજ્યોના ચૂંટણી કમિશનર્સનો સંપર્ક કરીને તરત પગલાં ભરવા માટે વિનંતી કરી છે.

બે અગ્રણી જ્વેલરી એસોસિયેશન ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન તથા ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે આક્ષેપ કર્યો હતો કે તેઓ અથવા તેમના ગ્રાહકો જો ₹50,000 અથવા તેનાથી વધારે રોકડ લઈને જતા હોય તો તેમને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે.

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન અનંથા પદ્મનાભમે જણાવ્યું હતું કે “તાજેતરમાં જે બનાવો બન્યા છે તેના કારણે વેપારીઓ તથા ગ્રાહકોમાં ગભરાટ પ્રસર્યો છે. એપ્રિલ મહિનામાં લગ્નની ઘણા તારીખો આવતી હોવા છતાં પોલીસ દ્વારા ગ્રાહકોની કનડગત થતી હોવાના કારણે વેચાણમાં વધારો થતો નથી. અમે દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોના ચૂંટણી કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. અમારા દિલ્હી ખાતેના પ્રતિનિધિઓ મુખ્ય ચૂંટણી કમિશનરને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને પરિસ્થિતિનો ખ્યાલ આપશે.”

IBJAના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ઉમેર્યું હતું કે ગુડી પડવાથી તહેવારોની સીઝનનો આરંભ થયો છે તથા તે સાત મે સુધી જળવાઈ રહેશે. ચૂંટણી 19 મે સુધી ચાલશે. તેથી 10 માર્ચથી 19 મે સુધી બિઝનેસને અસર થશે. જીએસટી ઓથોરિટી અનુસાર તમારી પાસે પૂરતા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા હોય તો જ્વેલર્સ, બુલિયન ડીલર્સ કે પછી ગ્રાહક, કોઈની પણ કનડગત ના થઈ શકે. જો કાગળોમાં કોઈ અનિયમિતતા જણાશે તો સંબંધિતો અથવા વ્યક્તિઓ સામે પગલાં ભરવામાં આવશે.

IBJAએ આ મુદ્દાને હલ કરવા માટે રાજ્યોના કમિશનરોનો સંપર્ક કર્યો છે. મહેતાએ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કેરળ અને બિહારના જ્વેલર્સને પોલીસ તરફથી કનડગત થઈ રહી છે. ચૂંટણીની આચારસંહિતા પ્રમાણે ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાની પાસે મહત્તમ રોકડ રકમ ₹50,000 રાખી શકાય છે. આનાથી વધારે રકમ પોતાની પાસે રાખવી હોય તો તેનો કાયદાકીય સ્રોત તથા કોને આપવાના છે તેને માટેના જરૂરી દસ્તાવેજ પાસે રાખવા જરૂરી હોય છે.

હાલમાં કોઈ વ્યક્તિ પાસે ₹10 લાખ કરતાં વધારે રોકડ હોય તો તેણે આ અંગે આવકવેરા ખાતાને જાણ કરી હોવી જરૂરી છે. કોઈ વ્યક્તિ પાસે અગાઉથી માહિતી આપ્યા વગર ₹10 લાખ મળે તો ચૂંટણી પંચ દ્વારા તે અંગે આવક વેરા ખાતાને જાણ કરવામાં આવે છે તથા જરૂરી પુરાવા આપવામાં આવે તે પછી જ આ રકમ મુક્ત કરવામાં આવશે.

આચારસંહિતાએ માંગ પર અસર કરી છે ત્યારે સોનાની કિંમતમાં વધઘટ વેચાણમાં રૂપાંતરિત થતું નથી તેમ ડબલ્યુએચપી જ્વેલર્સના ડિરેક્ટર આદિત્ય પેઠેએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે એક રોકાણકાર સોનાની ખરીદી કરે છે ત્યારે તે તેના પોર્ટફોલિયોનું વૈવિધ્યીકરણ કરતા હોય છે અને તે કિંમતમાં વધઘટ દ્વારા ટ્રિગર્ડ થયેલું હોતું નથી કે જેવું આપણે તાજેતરમાં જોયું હતું.

10 માર્ચના રોજ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ ₹32,235 હતી, કે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં સોનાની કિંમત 1.7 ટકા ગગડી છે અને હાલમાં 10 ગ્રામ સોનાની કિંમત ₹31,685 પર છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2D0Hu56

No comments:

Post a Comment

Pages