સવારે કરો કર દર્શન

સવારે ઉઠીને તરત જ હાથની રેખાઓના જોવાને ‘કર દર્શન’ કહે છે. હથેળીના દર્શન કરીને માતા લક્ષ્મી, સરસ્વતી અને બ્રહ્માના આશીર્વાદ મેળવો છો. જો તમને પણ દરરોજ સવારે ઉઠીને હથેળીના દર્શન કરવાની આદત હોય તો તમે માત્ર પોતાના માટે જ નહીં આખા પરિવાર માટે સુખ-શાંતિ, વિદ્યા અને ધનના આશીર્વાદ ઈષ્ટદેવ પાસેથી મેળવો છો. ઘણી વખત દિવસ સારો ન જાય તો આપણે બોલતા હોઈએ છીએ કે, કોનું મોઢું જોયું હતું સવારમાં? પરંતુ જ્યારે તમે હથેળીના દર્શનથી દિવસની શરૂઆત કરશો તો જે કંઈપણ તમને મળશે તમારા થકી જ આવેલું હશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ મંત્ર બોલો

સવારે ઉઠીને હથેળીના દર્શન કરો ત્યારે સારા દિવસ માટે કામના કરો. હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી, મધ્યમાં સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માનો વાસ છે તેમ કહેવાય છે. હથેળીના દર્શન કરતી વખતે આ મંત્ર ખાસ બોલવો જોઈએ.
कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती।
कर मूले स्थितो ब्रह्मा प्रभाते कर दर्शनम्॥
कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम ॥
કેમ કરવા જોઈએ હથેળીના દર્શન

આ પ્રકારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો કે, જે પણ કર્મ કરો તેનાથી જીવનમાં સુખ-શાંતિ, ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય. તમારા કર્મોથી સંસારનું ભલું થાય. ખરાબ કર્મોથી દૂર રહેવાની પ્રાર્થના કરો. ભારતીય સંસ્કૃતિમાં કર્મ કરવાની સલાહ આપવામાં આવી છે. જીવનના ચાર આધાર- ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થ ગણાવાયો છે. કર્મ દ્વારા જ કોઈપણ વ્યક્તિ મહાન બને છે. પોતાના હાથની રેખા જોવાથી કર્મો સાચા છે કે ખોટા તે માલૂમ પડશે. તમને યાદ રહેશે કે જે પણ કર્મ તમે કરો છો તેના માટે પોતે જવાબદાર છો.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2GI1Fph
No comments:
Post a Comment