વધારે વજન બીમારીઓને નોતરે છે

જરૂર કરતાં વધારે વજન હોવું તેમજ સ્થૂળતા સ્વાસ્થ્યને વધારે નુકસાન પહોંચાડે છે. એટલે જ સમય રહેતા આ તકલીફ પર કાબૂ મેળવાય તેવા પ્રયાસો કરવા જોઈએ. જરૂર કરતાં વધારે વજન હોય તો કેટલાક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે અને તેથી જ જરૂરી છે કે સ્વસ્થ રહેવા માટે તમે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પર એટલું ધ્યાન રાખો કે ક્યારેય વજન વધી જવાની તકલીફ ન થાય.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સવારે વહેલા ઊઠવાની આદત પાડો

સ્થૂળતા ઘટાડવા માટે સૌથી જરૂરી છે ખાવા-પીવા પર ધ્યાન આપવું, સમયસર સવારનો નાસ્તો કરી લેવો, સવારે કસરત અને જોગિંગ કરવું. આજની વ્યસ્ત લાઈફમાં સવારે વહેલા ઉઠવાની આદતથી તમને ઘણો લાભ થઈ શકે છે. સવારે ઊઠતાથી સાથે તમારે આ કામ જરૂરથી કરવું જોઈએ, જેનાથી તમારૂં વજન પણ ઝડપથી ઘટી જશે અને તમારૂં સ્વાસ્થ્ય પણ સારૂં રહેશે.
સવારે ઊઠીને પહેલા પાણી પીવો

સવારે વહેલા ઊઠીને ભૂખ્યા પેટે પાણી પીવું સારી બાબત છે. આમ કરવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જશે અને શરીરને નવી ઊર્જા મળશે. તેથી સવારની શરૂઆત હુંફાળું પાણી પીને કરો. સવારે રોજ હુંફાળા પાણીમાં લીંબૂ અને મધ મિક્સ કરીને પીવો. તેનાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થશે. સવારે વહેલા ઊઠીને પાણી પીવાથી અંદરના અવયવો ફરીથી એક્ટિવ થઈ જાય છે. ખાલી પેટ પાણી પીવાથી મેટાબોલિક રેટ વધે છે, જેનાથી ખાવાનું જલ્દી પચી જાય છે. પાણી શરીરમાં ઈમ્યૂનિટી વધારવા માટે પણ જરૂરી છે.
વોર્મ અપ/ એક્સર્સાઈઝ કરો

સવારે વહેલા ઊઠી, પાણી પીધા બાદ વોર્મ અપ, જોગિંગ અથવા એક્સર્સાઈઝ જરૂરથી કરવી જોઈએ. આ કામ કરવામાં આળસ દૂર કરી, થોડો સમય કાઢો. સવારે ચાલવા જશો તો તમારા દિવસની શરૂઆત સારી રીતે થશે. જિમમાં જઈ પરસેવો પાડવા કરતા સવારે માત્ર અડધી કલાક ચાલશો તો વધારે ફાયદો થશે. એકથી દોઢ કિમી જેટલું ચાલવાથી ઘણી કેલેરી બર્ન થાય છે. ચાલવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજનનું પપિંગ સરખી રીતે થાય છે.
સમયસર નાસ્તો કરો

સવારના નાસ્તાની સાથે-સાથે લંચ અને ડિનર પણ સમયસર લેવું જોઈએ. સમયસર નાસ્તો નહીં કરો તો ભોજન વચ્ચેનું અંતર વધી જશે. ધારો કે, તમે ગઈ રાત્રે નવ વાગ્યે જમ્યા, સવારે નવ કલાકે નાસ્તો કર્યો તો બંને વચ્ચે 12 કલાકનું અંતર થઈ જશે. એટલા માટે નાસ્તો કરવામાં મોડું ન કરવું જોઈએ. જો તમે નાસ્તો કરવામાં મોડું કરશો તો સ્થૂળતાને અજાણતામાં જ આમંત્રણ આપશો.
બ્રેકફાસ્ટ કરવાનું ન ભૂલો

બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી પણ વજન વધી જવાની તકલીફ થાય છે. ભારતીય પરંપરામાં સવારના નાસ્તાનું ખાસ મહત્વ હોય છે. સવારે ન ખાવાથી શરીરમાં ચરબી વધી જાય છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે સમયસર નાસ્તો ન કરવાથી શરીરમાં કેલેરી જમા થાય છે. સાથે જ વજન ઓછું કરવા ઈચ્છતા લોકોએ પણ સમયસર નાસ્તો કરી લેવો જોઈએ, નહીં તો મેટાબોલિઝ્મ રેટ ઘટવા લાગશે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2GD1Kfl
No comments:
Post a Comment