Latest

Tuesday, April 16, 2019

સીતારમણે રજૂ કરી મિસાલ, ઘાયલ શશિ થરૂરની હોસ્પિટલમાં જઈને ખબર કાઢી

રાજકીય નેતાઓનો શિષ્ટાચાર

તિરુવનંતપુરમઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓ વચ્ચે વાર અને પલટવારની ગતિ વધી ગઈ છે. આપત્તિજનક નિવેદનોનો પણ મારો શરુ થઈ ગયો છે. આ બધાની વચ્ચે એક એવી તસવીર પણ સામે આવી છે કે જે જોઈને આંખોને ઠંડક મળે. રાજકીય શિષ્ટાચારને દર્શાવતી આ તસવીર સામે આવી છે જેમાં બન્ને વિરોધી પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહતા મોઢે દેખાયા છે. જી, કેરળની રાજધાની તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં દાખલ શશિ થરૂરને મળવા માટે નિર્મલા સીતારમણ પહોંચ્યા તો લોકોને રાજકીય શિષ્ટાચારનું મહત્વ સમજાયું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સીતારમનનો શિષ્ટાચાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદને એક મંદિરમાં દર્શન દરમિયાન ઘાયલ થયા હતા. તેમને માથાના ભાગે ઈજા થઈ હતી, જેના કારણે તેમને 11 ટાંકા આવ્યા હતા. હવે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, અને તેમના ખબર અંતર પૂછ્યા. આ પછી થરૂરે આ મુલાકાતની તસવીર શેર કરીને થરૂરે સીતારમણની પ્રશંસા કરી.

મંદિરમાં થયા હતા ઘાયલ

શશિ થરૂરે સોમવારે તિરુવનંતપુરમના એક મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. જોકે, આ અકસ્માતમાં થરૂરને ગંભીર ઈજા નથી થઈ. પોતાના પ્રચાર કાર્યક્રમ પહેલા તેઓ દર્શન માટે મંદિરમાં ગયા હતા. આ દરમિયાન અચાનક તેઓ પડી ગયા હતા અને તેમને માથામાં ઈજા થઈ હતી. થરૂરને તરત ઈલાજ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પ્રાથમિક ઈલાજ પછી થરૂરના માથામાં 11 ટાંકા આવ્યા હતા.

થરૂર ફરી ચૂંટણી મેદાનમાં

જણાવી દઈએ કે, કોંગ્રેસે થરુરને ફરી એક વખત તિરુવનંતપુરમ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી તેઓ બે વખત કોંગ્રેસના સાંસદ તેમની સામે ભાજપે મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્માનેમ રાજશેખર અને સીપીઆઈએ ધારાસભ્ય સી દિવાકરનને ઉતાર્યા છે. થરુર આ બેઠક પરથી 2009માં ચૂંટણી લડ્યા હતા. 2009માં તેમને એક લાખથી 3 મત ઓછી મળ્યા હતા, પણ 2014માં તેઓ લગભગ 15,00 મતોના અંતરથી જીત્યા હતા.



from Page Array – I Am Gujarat http://bit.ly/2V6wvRC

No comments:

Post a Comment

Pages