મિનાતી સિન્હા, ભૂબનેશ્વર: પીએમ મોદીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવાનો પ્રયાસ કરનારા એક IAS અધિકારીને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધા છે. મોહમ્મદ મોહસિન નામના કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી ઓડિશામાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ઈલેક્શન ડ્યૂટીમાં મૂકાયા હતા.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી મંગળવારે ઓડિશાના સાંબલપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. તે વખતે મોહસિન સહિતની ચૂંટણી અધિકારીઓની ટીમ પીએમના હેલિકોપ્ટરની તપાસ કરવા પહોંચી હતી.
પ્રોટોકોલ અનુસાર, એસપીજીનું સુરક્ષા કવર ધરાવતા કોઈપણ વ્યક્તિની સુરક્ષા તપાસ કરી શકાતી નથી. જેનો ભંગ કરી મોહસિનની આગેવાની હેઠળની ચૂંટણી અધિકારીઓની ટીમ પીએમ જે હેલિકોપ્ટરમાં આવ્યા હતા તેમાં કેટલાક કાગળો તપાસ્યા હતા. આ ઈન્સ્પેક્શનને કારણે પીએમ મોદી સભાસ્થળે 20 મિનિટ મોડા પહોંચ્યા હતા. આ મામલે ઈલેક્શન કમિશનને જાણ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચ દ્વારા આ અંગે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે પંચ સમક્ષ જે માહિતી ઉપલબ્ધ કરાવાઈ છે તેને તપાસાઈ રહી છે, અને પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં અધિકારી દ્વારા ફરજ બજાવવામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. પંચે નોંધ્યું છે કે, એસપીજી પ્રોટેક્શન ધરાવતા મહાનુભાવ અંગે ઈલેક્શન કમિશને જે સૂચના આપી છે તેનો આમાં ભંગ થયો છે.
કર્ણાટકના ચીફ સેક્રેટરી ટીએમ વિજય ભાસ્કરના જણાવ્યા અનુસાર, રાજ્ય આ મામલે કંઈ કરી શકે તેમ નથી, અને કર્ણાટક કેડરના આઈએએસને સંડોવતા આ સમગ્ર પ્રકરણથી રાજ્ય સરકાર અજાણ છે. ચૂંટણી પૂરી થયા બાદ તેઓ કર્ણાટકમાં પોતાની કામગીરી ચાલુ રાખશે કે સસ્પેન્શન હેઠળ રહેશે તે સવાલના જવાબમાં ભાસ્કરે જણાવ્યું હતું કે, તે અંગે સ્પષ્ટતા માટે તેઓ ચૂંટણી પંચના ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે.
from I Am Gujarat http://bit.ly/2V5AspT
No comments:
Post a Comment