Latest

Thursday, May 9, 2019

માનશો? આ 79 વર્ષના માજીએ ઘરમાં આજ સુધી વીજળીનો ઉપયોગ નથી કર્યો 😮

આજીવન વીજળીનો ઉપયોગ નથી કર્યોઃ

આપણી લાઈફ એવી થઈ ગઈ છે કે વીજળી વિના જીવવાની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પરંતુ પુણેના 79 વર્ષની એક મહિલાએ તેમના જીવનથી બધાને સંદેશ આપ્યો છે કે 21મી સદીમાં પણ વીજળી વિના જીવવું શક્ય છે. હેમા શાને નામના પ્રોફેસરે પુણેમાં આવેલા તેમના નાનકડા ઘરમાં આજ સુધી વીજળીનો ઉપયોગ નથી કર્યો. જો તમને એવું લાગતું હોય કે તે કોઈ ગરીબ મહિલા છે અને તેમને વીજળીનો ખર્ચ પોષાતો નહિ હોય તો તમે ખોટા છો.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ક્યારેય જરૂર નથી પડીઃ

ડો. હેમા શાનેએ સવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી બોટનીમાં પીએચડી ડીગ્રી મેળવી છે અને તે પુણેની ગરવારે કૉલેજમાં વર્ષો સુધી પ્રોફેસર રહી ચૂક્યા છે. તે એક નાના ઘરમાં રહે છે જે જુદા જુદા વૃક્ષો અને પક્ષીઓથી ઘેરાયેલું છે. તેમને લાગે છે કે તેમના આખા જીવનમાં તેમને ક્યારેય વીજળીની જરૂર પડી જ નથી.

વૃક્ષો અને પક્ષીઓ તેમના મિત્ર છેઃ

ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “લોકો મને અવારનવાર પૂછે છે કે હું વીજળી વિના કેવી રીતે રહી શકો છો? તો હું તેમને પૂછું છું, તમે વીજળી સાથે કેવી રીતે રહી શકો છો?” તે કહે છે, “પક્ષીઓ મારા મિત્રો છે અને હું જ્યારે પણ ઘરનું કામ કરુ ત્યારે તે આવે છે. લોકો મને પૂછે છે કે હું આ ઘર કેમ નથી વેચતી? મને તેના ઘણા રૂપિયા મળશે. પરંતુ હું તમને એ જ કહું છું કે હું ઘર વેચી દઈશ તો આ વૃક્ષો અને પક્ષીઓનું કોણ ધ્યાન રાખશે? મારે બહાર જવું જ નથી. હું તેમની સાથે જ રહેવા માંગું છું.”

આ કામમાં રહે છે વ્યસ્તઃ

ડો. શાનેએ બોટની અને પર્યાવરણ પર અનેક પુસ્તકો લખ્યા છે. તે કહે છે, “અન્ન, ઘર અને કપડા એ મૂળભૂત જરૂરિયાત છે. એક સમયે કોઈ વીજળી નહતી, વીજલી ઘણી પાછળથઈ આવી. તો હું તેના વિના ચલાવી શકું છું.” ડો. શાને નવા પુસ્તકો લખવામાં વ્યસ્ત રહે છે. તેઓ કહે છે, “હું કોઈને શીખ નથી આપતી. હું ભગવાન બુદ્ધના એ સિદ્ધાંતમાં માનુ છું જેમાં તેમણે કહ્યું છે- તમારા જીવનનો રસ્તો તમારે જાતે શોધવાનો છે.”



from Page Array – I Am Gujarat http://bit.ly/2vNnBuc

No comments:

Post a Comment

Pages