આશુતોષ આર શ્યામ/કેતન ઠક્કર
મુંબઈ:આર્થિક નરમાઈના વાતાવરણના કારણે બાંધકામ સેક્ટરને ગંભીર અસર થઈ હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક મહિનામાં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના ઉત્પાદકોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે જ્યારે નવા રોડ કોન્ટ્રાક્ટ અટકી ગયા છે. નાણાકીય વર્ષ 2019ના રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા માટે સરકારે મૂડીખર્ચ ઘટાડી દીધો હોવાથી બાંધકામ પર અસર પડી છે.
માર્ચમાં પૂરા થયેલા વર્ષ માટે સરકારે ₹3.15 લાખ કરોડનો મૂડીખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, જેમાંથી સરકારે માત્ર ₹2.73 લાખ કરોડ ખર્ચ કર્યા હતો તેવું 11 મહિનાના
આંકડા દર્શાવે છે.
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (સીજીએ)ના જણાવ્યા પ્રમાણે અગાઉના વર્ષના પ્રથમ 11 મહિનામાં સરકારનો મૂડીખર્ચ આઠ ટકા ઘટ્યો હતો જેથી તમામ સેક્ટરમાં મહત્ત્વની કંપનીઓની ઓર્ડર બૂક પર અસર પડી હતી.
સરકારના ઘટતા મૂડીખર્ચના કારણે જે સેક્ટરને ફટકો પડ્યો છે તેમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી આગળ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોજેક્ટનું કામ ઘટી ગયું છે. નાણાકીય વર્ષ 2019માં 7,500 કિમીના પ્રોજેક્ટ આપવાના હતા જેની જગ્યાએ માત્ર 2,222 કિમીના પ્રોજેક્ટ અપાયા છે. રોડ પ્રોજેક્ટ તેના લક્ષ્યને 35 ટકાથી ચૂકી જાય તેવી શક્યતા છે. મૂડીના ઘટતા પ્રવાહના કારણે બાંધકામ ઇક્વિપમેન્ટ કંપનીઓ પહેલેથી પરેશાન છે. તેમણે ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં 15થી 60 ટકાનો કાપ મૂક્યો છે.
જેસીબી, ટાટા હિટાચી જેવી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું છે. જેસીબી લગભગ 50 ટકા બજારહિસ્સો ધરાવે છે. તે અગાઉના નાણાકીય વર્ષમાં દૈનિક 3,000 વ્હિકલનું ઉત્પાદન કરતી હતી જેની જગ્યાએ ઉત્પાદન ઘટાડીને 1,950 વ્હિકલ કરી નાખ્યું છે. 2018માં ભારતમાં કુલ એક લાખથી 1.10 લાખ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વેચાયા હતા અને તેનો વેચાણવૃદ્ધિદર 25થી 30 ટકા હતો.
ટાટા હિટાચીના એમડી સંદીપ સિંઘે કહ્યું કે જાન્યુઆરીથી માર્ચમાં તેમણે પાંચ ટકા કરેક્શનનો સામનો કર્યો છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં 10થી 15 ટકા કરેક્શન શક્ય છે. એનબીએફસીની કટોકટીના કારણે 2019ના પ્રથમ ક્વાર્ટરમાં બિઝનેસને અસર પડી છે. જાન્યુઆરીથી એપ્રિલમાં માર્કેટ પહેલેથી 10 ટકા ઘટ્યું છે. આગામી કેટલાક મહિના સુધી ઓફટેક નરમ રહેશે. સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન ચોમાસાના કારણે બાંધકામનાં ઉપકરણોની ડિમાન્ડ ઓછી હોય છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Yk8hkN
No comments:
Post a Comment