Latest

Tuesday, May 7, 2019

પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું – ભારત પાસે વર્લ્ડકપ જીતવાની શાનદાર તક

દિલીપ વેંગસરકરને ભારતીય ટીમ પર વિશ્વાસ

મુંબઈ : પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરને લાગે છે કે, વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ પાસે 30 મેથી ઈંગ્લેન્ડ-વેલ્સમાં શરૂ થઈ રહેલા વર્લ્ડકપને જીતવાની શાનદાર તક છે. ભારત પાંચ જૂનના રોજ સાઉથમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વેંગસરકરે સોમવારે કહ્યું કે, ‘ભારત પાસે વર્લ્ડકપ જીતવાની શાનદાર તક છે. છેવટે તે સેમીફાઈનલ સુધી તો જરૂર જશે પણ ફાઈનલ વિશે હું કોઈ ભવિષ્યવાણી કરી ન શકું. પણ, આપણી પાસે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે બધા ફોર્મમાં છે.’

14 મેથી શરૂ થશે મુંબઈ લીગ

વેંગસરકર મુંબઈ ટી20 લીગના મેન્ટોર છે. મુંબઈ ક્રિકેટ સંઘે આના બીજા સત્રની શરૂઆતની ઘોષણા કરી જે 14 મેથી થશે. આ નિમિત્તે લીગના એમ્બેસેડર તેંડુલકર અને મેન્ટોર સુનીલ ગાવસ્કર પણ ઉપલબ્ધ રહ્યાં.

તેંડુલકરે કરી મુંબઈ લીગની પ્રશંસા

તેંડુલકરે પણ લીગની પ્રશંસા કરી. તેણે કહ્યું, ‘ટી20 મુંબઈ લીગ ટૂંક સમયમાં જ એવી લીગ બનવા જઈ રહી છે જેમાં દેશભરના મોટાભાગના ખેલાડી ભાગ લેવા ઈચ્છશે. ઘણા વર્ષોતી જે રીતે મુંબઈ રણજી ટ્રૉફીમાં પ્રદર્શન કરતી રહી છે, તેને જોઈને જો ખેલાડીઓને કોઈ પસંદગીની ટીમ સિલેક્ટ કરવાની તક આપવામાં આવે તો તેઓ મુંબઈ રણજી ટીમનો ભાગ બનવા માગશે, કારણ કે, અહીંનું ક્રિકેટ અલગ પ્રકારનું છે બધા તેનો ભાગ બનવા માગે છે.’

‘IPLની હરાજી પહેલા થાય મુંબઈ લીગનું આયોજન’

ગાવસ્કરે આયોજકોને IPL હરાજી પહેલા લીગનું આયોજન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, ‘શિવમ દુબેને મુંબઈ ટી20 લીગમાં રમ્યા બાદ IPLમાં તક મળી. સૂર્યકુમાર યાદવને પણ સારો કૉન્ટ્રાક્ટ મળ્યો અને મને વિશ્વાસ છે કે, આગળ પણ આ લીગમાં કેટલીક નવી પ્રતિભાઓ સામે આવશે જેમને આગામી સત્રમાં IPL ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો સાથે જોડવા માગશે.’



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2WybYTO

No comments:

Post a Comment

Pages