નવી દિલ્હી:L&T ગ્રૂપના ચેરમેન એ એમ નાયકના જણાવ્યા અનુસાર માઇન્ડટ્રીનું એક્વિઝિશન અમારો સૌથી પહેલો એજન્ડા છે અને અમે આ મિડ-કેપ કંપનીને આખરે મોટી કંપની બનાવીશું.
માઇન્ડટ્રીમાં L&Tનો હિસ્સો લગભગ 26 ટકા થયો છે અને કંપની વધુ 10 ટકા હિસ્સો ખરીદવા ટૂંક સમયમાં ઓપન ઓફર જાહેર કરશે. નાયકે કહ્યું હતું કે, “અમે
સતત તકની શોધમાં રહીએ છીએ, પણ અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન માઇન્ડટ્રીમાં રોકાયેલું છે અને મને આશા છે કે, અમે તેને પણ મોટી કંપની બનાવીશું.”
તેમણે જણાવ્યું હતું કે, “અમારી પાસે માઇન્ડટ્રીનો લગભગ 26 ટકા હિસ્સો છે અને તે વધીને 51 ટકા સુધી થાય ત્યાં સુધી અમે રાહ જોઈશું. ઓપન ઓફર 10-12 દિવસમાં જાહેર કરાશે.” નાયકે જણાવ્યું હતું કે, “માઇન્ડટ્રીના પ્રમોટર્સને પણ હવે અહેસાસ થયો છે કે, L&T કર્મચારીઓને ધ્યાનમાં રાખીને કામ કરતી કંપની છે.” નાયકના મતે માઇન્ડટ્રીની વૃદ્ધિ માટે મોટો અવકાશ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WTKQ1D
No comments:
Post a Comment