સૃષ્ટિના રચયિતા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ

એવું કહેવાય છે કે આ સમગ્ર સૃષ્ટિના રચયિતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. જો આ ત્રણેની શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવામાં આવે તો મનુષ્યને જીવનમાં કોઈ જ તકલીફ પડતી નથી. આજે આપણે વાત કરીશું વિષ્ણુ ભગવાનની જેમની ગુરુવારના દિવસે વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ભક્ત પીળા રંગની વસ્તુઓનો વધારે ઉપયોગ કરે છે. જોકે, પૂજામાં ભોગ ધરાવવો પણ એટલો જ મહત્વનો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ધરાવો આ ભોગ

સામાન્ય રીતે ભગવાન વિષ્ણુને ખીર અતિપ્રિય છે. ખીરનો ભોગ ધરાવવાથી વિષ્ણુ ભગવાન તૃપ્ત થાય છે. શુદ્ધ દૂધ અને ભાતથી બનેલી ખીર વિષ્ણુ ભગવાનને અતિપ્રિય છે. ખીર ઉપરાંત સુજીનો હલવો પણ ભગવાન વિષ્ણુને પસંદ છે.
થશે લક્ષ્મી-નારાયણની કૃપા

એવી પણ માન્યતા છે કે રવિવાર અને ગુરુવારના રોજ ભક્તોને ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં જઈને ભગવાન શ્રીહરિના દર્શન કરવા જોઈએ. પૂજા કર્યા પછી લક્ષ્મી અને નારાયણને ખીર અથવા સુજીના હલવાનો ભોગ ધરાવવો જોઈએ. લક્ષ્મી અને નારાયણ બન્નેની કૃપા વરસે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.
કૃષ્ણ ભગવાનને પસંદ માખણ-મિસરી

આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન અને નટખટ નંદલાલ એટલે કે શ્રી કૃષ્ણને પણ ખીરનો પ્રસાદ પસંદ છે. જોકે, ભગવાન કૃષ્ણને માખણ-મિસરીના નૈવૈદ્ય વધારે પસંદ છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VHcu5q
No comments:
Post a Comment